આવતીકાલે સૂર્યગ્રહણ છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી અને સૂર્યગ્રહણ વિશે ખાસ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ગર્ભવતી સ્ત્રીઓ, બાળકો અને માંદા માણસો માટે આવતીકાલનો ગ્રહણનો 4 કલાકનો સમય ભારે રહેશે. જાણો તેમણે બીજું શું કહ્યું?
દેશમાં જુદી જુદી જગ્યાએ જુદા સમયે જોવા મળશે ગ્રહણ
ગુજરાતમાં જુદા જુદા ભાગમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે
અમદાવાદ, સુરત, રાજકોટ, પાટણ વગેરેમાં દેખાશે ગ્રહણ
આવતીકાલે દેશભરમાં સૂર્યગ્રહણ જોવા મળશે. સવારે 10.03 મિનિટથી સૂર્યગ્રહણ જોવા મળશે. અને બપોરના 2 વાગ્યા સુધી સૂર્યગ્રહણ જોવા મળશે. દેશમાં જુદી જુદી જગ્યાએ જુદા સમયે ગ્રહણ જોવા મળશે. જેને કારણે આજે રાતથી જ મંદિર બંધ કરી દેવામાં આવશે. આ અંગે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વિસ્તૃત માહિતી આપી હતી.
અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં જુદા જુદા ભાગમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે. અમદાવાદ, સુરત, રાજકોટ, પાટણ વગેરેમાં ગ્રહણ દેખાશે. અમદાવાદમાં સવારે 10.03 મિનિટે ગ્રહણ દેખાશે...જ્યારે સુરતમાં સવારે 10.02 મિનિટે, રાજકોટમાં 9.59 મિનિટે ગ્રહણ જોવા મળશે. તો સૂર્ય ગ્રહણને કારણે આજે રાત્રીથી મંદિર બંધ રહેશે. કાલેબપોર સુધી દેશભરના તમામ મંદિર બંધ રહેશે.