કોરોનાના નવો સ્ટ્રેન બાળકોને મોટા પ્રમાણમાં શિકાર બનાવતો હોવાથી સિંગાપુરે તાત્કાલિક ધોરણે શાળાઓ બંધ કરી દીધી છે.
સિંગાપુરમાં કોરોનાના નવો સ્ટ્રેન ફેલાયો
38 બાળકો સંક્રમિત થતા હડકંપ
તાત્કાલિક ધોરણે શાળાઓ બંધ કરી દેવાઈ
કોરોનાના નવા વેરિયન્ટ B.1.617 નો વધારે ભોગ બની રહ્યાં છે
કોરોનાનો આ નવો સ્ટ્રેન સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો અને તે હવે બાળકોને પણ વધારે પ્રમાણમાં ઝપેટમાં લઈ રહ્યો છે. 38 બાળકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા છે.
સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રી ઓ યે કુંગે જણાવ્યું કે બાળકો કોરોનાના નવા વેરિયન્ટ B.1.617 નો વધારે ભોગ બની રહ્યાં છે.કોરોનાનો આ સ્ટ્રેન અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું પણ જણાવાય છે.
સિંગાપુરે કોરોનાના વધી રહેલા કેસોને પગલે વધારે લોકોના જમાવડા તથા જાહેર ગતિવિધિઓ પર કડક પ્રતિબંધ ફરમાવી દીધો છે. શિક્ષણ મંત્રી લોરેન્સ વોંગે જણાવ્યું કે ફક્ત બે લોકો જ જાહેરમાં ભેગા થઈ શકશે. મોટાભાગે એરપોર્ટ, સ્કૂલ અને હોસ્પિટલોમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી આ નિર્ણય લેવાયો છે.
રવિવારે કોરોનાના 311170 નવા કેસ નોંધાયા
કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રીના આંકડા અનુસાર રવિવારે કોરોનાના 311170 નવા કેસ નોંધાયા છે. સૌથી વધારે કેસ 7 મેના રોજ આવ્યા હતા. ત્યારે આ કેસનો આંક 4, 14, 915 નોંધાયો હતો. પરંતુ 9 દિવસમાં આ રેકોર્ડમાં 1, 03 745 ઘટાડો થયો છે. બહું ઓછા સમયમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે.તેમજ સાજા થનારાની સંખ્યામાં વધારો થયો છે. 6માંથી 5 દિવસ એવા હતા જ્યારે સાજા થનારાનીં સંખ્યા સંક્રમિતો કરતા વધારે હતી. રવિવારે 55344 લોકો સાજા થયા. દેશમાં 10 મેના રોજ 3745237 એક્ટિવ કેસ હતા. 16મેના આ સંખ્યા ઘટીને 36184558 થઈ ગઈ. 6 દિવસમાં 126779 કેસ ઘટ્યા. પણ મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ તથા હરિયાણાના એક્ટિવ કેસની સંખ્યા ઘટી. પણ તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, આસામ, ઓડિશા, ત્રિપુરા તથા ઉત્તરાખંડમાં ચિંતા વધી રહી છે.