હિન્દુ ધર્મમાં દરેક દિવસનું વિશેષ મહત્વ છે. અઠવાડિયાના સાતેય દિવસ ગમે તે દેવી-દેવતાને સમર્પિત છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ કામ કરતી સમયે શુભ સમય અને શુભ દિવસનુ ધ્યાન કરવામાં આવે છે.
અઠવાડિયાના સાતેય દિવસ દરેક દેવી-દેવતાને સમર્પિત
દિવસ પ્રમાણે કરો ખરીદી, રહેશો ફાયદામાં
કયા દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી યોગ્ય છે?
એવામાં દરેક દિવસ માટે એક દિવસ હોય છે. આ કાર્યને તે મુજબ કરવાથી શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને જણાવીશું શોપિંગ માટે શુભ દિવસ અને કયા દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી શુભ હોય છે.
સોમવાર
સોમવાર શિવજીને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે ઈલેક્ટ્રોનિક સામાન જેવા કોમ્પ્યુટર, મોબાઈલ વગેરે ખરીદવા અશુભ માનવામાં આવે છે. તો આ દિવસે અનાજ, ડેરી પ્રોડક્ટ ખરીદવી શુભ હોય છે.
મંગળવાર
મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે. આ દિવસે બુટ-ચપ્પલ અથવા લોખંડનો સામાન ખરીદવો શુભ માનવામાં આવ્યો છે.
બુધવાર
ગણેશજી અને માં સરસ્વતીનો દિવસ બુધવાર. આ દિવસે દવાઓ, વાસણ અને એક્વેરિયમ જેવી વસ્તુ ખરીદવી ના જોઈએ. માન્યતા છે કે આ દિવસે બુક અને સ્ટેશનરીનો સામાન ખરીદવો જોઈએ.
ગુરૂવાર
ભગવાન વિષ્ણુનો દિવસ ગુરૂવાર. આ દિવસે કોઈ પણ વાસણ અથવા પછી ધારદાર વસ્તુઓ ખરીદવી ના જોઈએ. આ દિવસે ઈલેક્ટ્રોનિક અથવા પછી પ્રોપર્ટી સાથે સંબંધિત વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.
શુક્રવાર
શુક્રવારનો દિવસ માં લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે ઈલેક્ટ્રોનિકનો સામાન પ્રોપર્ટી વગેરે ખરીદવુ શુભ હોય છે. આ દિવસે પૂજાનો સામાન, કપડા વગેરે પણ ખરીદી શકો છો.
શનિવાર
શનિવારના દિવસે સરસોનુ તેલ, તલનુ તેલ, મીઠુ વગેરે ખરીદવુ ના જોઈએ. આ દિવસે મશીનરી અને ફર્નિચર ખરીદવુ શુભ માનવામાં આવ્યું છે.
રવિવાર
આ દિવસે લોખંડ સાથે સંબંધિત વસ્તુઓ ખરીદવાથી બચવુ જોઈએ. તો આ દિવસે લાલ રંગની વસ્તુઓ, ઘઉં, દવાઓ વગેરે ખરીદી શકાય છે.