ટીમ ઇન્ડિયા પોતાના ચિર પ્રતિદ્ઘંદ્ઘી પાકિસ્તાનના વિરુદ્ઘ ICC વર્લ્ડ કપમાં અજેય ક્રમ ચાલુ રાખ્યો છે.
ટીમ ઇન્ડિયાએ રવિવારે મૈનચેસ્ટરના ઑલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર પાકિસ્તાનને 89 રનથી હાર આપી. આ હાર પછી પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તર ઘણો ગુસ્સામાં છે. રાવલપિંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત શોએબે કેપ્ટન સરફરાઝ અહમદને ભારત વિરુદ્ઘ હાર માટે જવાબદાર ગણાવ્યો.
શોએબ અખ્તરે કહ્યુ કે, ''સરફરાઝે મગજ વગરની કેપ્ટન્સી કરી. અમારુ મેનેજમેન્ટ મૂર્ખ છે અને કેપ્ટને તેમને 'મામૂ' બનાવ્યા. આ કેપ્ટન એવો છે જેવા 10 ધોરણના વિદ્યાર્થી હોય, જે મેનેજમેન્ટે કહી દીધુ તે જ કરવાનું. પ્રધાનમંત્રી ઇમરાન ખાને મેચને લઇને આટલા ટ્વીટ કર્યા પરંતુ મગજ વગરના કેપ્ટન કઇ સમજણ ના પડી. આમ તો ઇમરાન ખાને એવા લોકોને ટ્વીટ કરવુ જોઇએ જેમની કેપિસિટી હોય. આ ટીમમાં કેપિસિટી નથી.''
શોએબે કહ્યુ કે, ''આ મેચમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય મગજ વગરનો કેપ્ટન જ કરી શકે છે. સરફરાઝને નથી ખબર કે તેમની ટીમની સ્ટ્રેંથ શું છે. પાકિસ્તાની બૉલિંગની મદદથી મેચ સારી કરી શકાત. જો પાકિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરતી તો બૉલર્સ પર દબાણ ઓછું રહેતુ, પરંતુ બ્રેનલેસ કેપ્ટન અને મેનેજમેન્ટ મેચ હારવાની નિયત સાથે રમવા માટે આવ્યા હતા. હું વિચારી રહ્યો હતો કે આ બ્રેનલેસ કેપ્ટનમાં થોડું ઇમરાન ખાન નાખી દઉ પરંતુ મોડુ થઇ ચૂક્યુ છે.''
શોએબ અખ્તરે આગળ કહ્યુ કે, બૉલિંગમાં હસન અલીએ પણ ખૂબ જ ખરાબ બૉલિંગ કરી, તેનાથીવાઘા બોર્ડર પર ઉંચા-ઉંચા કૂદકા મારાય પરંતુ મેચમાં શૉટ પિચ બૉલ ફેંકી રહ્યો હતો. તે પોતાને ત્યારે મોટો બૉલર સમજતો જ્યારે તે વિકેટ ઝડપી શકતો. હસન અલી પોતાને T-20 ફોર્મેટનો ખિલાડી સમજે છે, PSL રમીને ખુશ છે, તેની બૉલિંગમાં ના પેસ છે ના તો સ્વિંગ છે.
શોએબ અખ્તરે કહ્યુ કે, ''ટાર્ગેટ પૂરો કરવાનો અમારો ઇતિહાસ રહ્યો નથી. 1999 વર્લ્ડ કપમાં પણ અમારી પાસે દિગ્ગજ બેટ્સમેન હતા, પરંતુ ભારત વિરુદ્ઘ 227 રન ના કરી શક્યા. જો મૈનચેસ્ટરની મેચમાં પાકિસ્તાન પહેલા બેટિંગ કરીને 270 રન કરતુ તો ભારત ના કરી શકતુ, પરંતુ દિમાગ વગરના કેપ્ટન પાસે આશા ના રખાય.''
આગળ કહ્યુ કે, આ મેચ ચેમ્પિયન્સ ટ્રોફી જેવો હતો. આ મેચમાં જે ભૂલ ભારતે કર્યો હતો, તેવી ભૂલ પાકિસ્તાને આ વર્લ્ડ કપમાં કરી. ચેમ્પિયન્સ ટ્રોફીમા વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પાકિસ્તાને 339 રન કર્યા, જ્યારે ટીમ ઇન્ડિયા ટાર્ગેટ પૂરો કરી ના કરી શકી. આ વર્લ્ડ કપમાં સરફરાઝે પણ આ જ ભૂલ કરી. ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરીને ટીમ ઇન્ડિયાએ 337 રનનો ટાર્ગેટ આપ્યો, જેણે પાકની ટીમ ના પૂરો કરી શકી.