મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી પર શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં, બંને દળોનું ગઠબંધન 'અટલ' છે. અને આ ગઠબંધન એક વાર ફરી સત્તામાં વાપસી કરશે.
મુંબઇમાં એક કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન ઠાકરે અનુચ્છેદ 370ના મોટાભાગની જોગવાઇને સમાપ્ત કરવા માટે વડાપ્રધાનની સરાહના કરી અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા અને સમાન નાગરિક સંહિતા લાવવાની અપીલ કરી. ઠાકરે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને નેતૃત્વ અને દિશા પ્રદાન કરી છે જેમા પ્રગતિ અને વિકાસ કરવાની અપાર ક્ષમતા છે.
ઠાકરે કહ્યું કે બંધારણના અનુચ્છેદ 370ની મોટાભાગની જોગવાઇને સમાપ્ત કરવાની અને ચંદ્રયાન 2 અભિયાન માટે મોદીને ધન્યવાદ આપું છું. હવે રાષ્ટ્ર અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ તથા સમાન નાગરિક સંહિતાની રાહ જોઇ રહ્યા છે.
સમાચાર સૂત્રો અનુસાર શિવસેના ઇચ્છે છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપાની સાથે બેઠકોની વહેંચણી સમાંતર બની રહે. એનો અર્થ એ છે કે બંને પાર્ટી સરખા ભાગે બેઠકોની વહેચણી કરી ચૂંટણી લડશે. વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી, ભાજપ અને શિવસેનાએ 18 બેઠકો નાના સહયોગીઓને વહેંચવા પર સહમતિ દર્શાવી છે. પરંતુ તેના પર ઔપચારિક રૂપે નિર્ણય લેવાનો બાકી છે.