મુંબઇ: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધનને લઈને પાર્ટીનું વલણ સ્પષ્ટ કરવા પાર્ટી નેતાઓ અને સાંસદોએ બેઠકો બોલાવી છે. બેઠક સોમવારે મુંબઈ સ્થિત તેમના નિવાસ સ્થાન 'માતોશ્રી' ખાતે યોજાશે. ભાજપ સાથે ગઠબંધનથી અલગ થવાની અફવાઓ પણ તેજ થઈ હતી.
જેથી આ બધી અટકળો વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્વ ધરાવે છે. તો શિવસેનાના કેટલાક સાંસદોએ ભાજપ સાથે ગઠબંધન નહી થવાને લીને ઉદ્ધવ ઠાકરે સાથે પોતાની ચિંતા પણ વ્યકત કરી છે. જેથી ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠાવાડાના સાંસાદોને ડર છે કે આગામી લોકસભા ચૂંટણીનમાં શિવસેના અને ભાજપ અલગ અલગ મેદાનમાં ઉતરશે.
જે એવું થશે તો બંને પાર્ટીઓને મોટુ નુકસાન થવાની ભિતી સાંસદો સેવી રહ્યા છે. ત્યારે સોમવારે એટલે કે આવતીકાલે મહારાષ્ટ્રના જાલનામાં આ બેઠક યોજાશે. આ બેઠકમાં શિવસેના સાથે ગઠબંધનને લઈને મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. તો ભાજપે જણાવ્યું કે શિવેસના સાથે અંદરખાને વાતચીત ચાલી રહી છે.
ઉદ્ધવ ઠાકરેએ સરકારને આપ્યું હતું અલ્ટીમેટમ
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરને લઈને સરકારને અલ્ટીમેટ આપ્યું છે. હાલ રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેના અલ્ટિમેટમ બાદ રાજકીય વાતાવરણ ગરમાયુ છે. કેટલીક રાજકીય પાર્ટીએ રામ મંદિરને લઈને ભાજપ આકરા પ્રહાર કર્યા હતા.
તેમણે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીનો રાજકીય સ્ટંટ ગણાવતા કહ્યું કે ભાજપ ચાર વર્ષમાં રામ મંદિરમાં નિર્માણ કરી શકી નથી અને હવે ચૂંટણી નજીક ત્યારે જો રામમંદિર બનાવે તો ચૂંટણીનો મુદ્દો ખતમ થઈ જાય.
ઉલ્લેખનીય છે કે રામ મંદિર નિર્માણને લઇને શિવસેના આક્રામક થઇ ગયું છે. અયોધ્યાની જેમ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પંઢરપુરમાં મહાસભા કરી. સેનાએ જેમાં 5 લાખ શિવસૈનિકોને એકઠા કરવાનો દાવો કર્યો છે. મહાસભાને સંબોધિત કરતા ઠાકરેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા.