ઉત્તર પ્રદેશના નોઈડામાં બહલોલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહાદેવના મંદિરમાં શિવલિંગ તોડવાની ઘટના સામે આવી છે
યુપીમાં માહોલ ખરાબ કરવાની કોશિશ
શિવમંદિરમાં તોડફોડ કરી, માંસના ટુકડા ફેંક્યા
ગામલોકો ગુસ્સે ભરાયા
ઉત્તર પ્રદેશના નોઈડામાં બહલોલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહાદેવના મંદિરમાં શિવલિંગ તોડવાની ઘટના સામે આવી છે. મંદિરમાં માંસના ટુકડા પણ ફેંકવામાં આવ્યા હતા. ઘટના સ્થળ પર હાલમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 20-21 માર્ચની રાતે ઘટી હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
કોંગ્રેસ પાર્ટીના પશ્ચિમ ઉત્તર પ્રદેશના અધ્યક્ષ ઓમવીર યાદવે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે, આજે કોઈ અસામાજિક તત્વોએ ગામના સેક્ટર 63 એ નોઈડા સ્થિત શિવ મંદિરમાં ઘૂસીને શિવલીંગ પર માંસ ચડાવ્યું અને મૂર્તિને તોડી નાખી છે. સૌહાર્દ બગડાવાની કોશિશ થઈ છે. મંદિરમાં હજારો લોકો એકઠા થયા છે અને તણાવની સ્થિતિ છે.
आज कुछ असामाजिक तत्त्वों ने गाँव बहलोलपुर सेक्टर 63 A नॉएडा स्थित शिव मंदिर में घुसकर शिवलिंग पर मांस चढ़ाया और मूर्तियों को तोड़कर बेशर्मी का नंगा नाँच किया,सौहार्द को बिगाड़ने की कोशिश की है मन्दिर पर हज़ारों लोग मौजूद हैं व तनाव की स्थिति है @ANI@ABPNews@BBCWorld@aajtakpic.twitter.com/MjtPViKJRD
આ વીડિયોમાં પોલીસ કર્મીઓ અમુક સ્થાનિક લોકો સાથે ચર્ચા કરતા હોવાનું પણ દેખાઈ રહ્યું છે. બહાર શ્રદ્ધાળુઓ એકઠા થયા છે . મંદિરની હાલત પણ અસ્તવ્યસ્ત દેખાઈ રહી છે. શિવલીંગને તોડીને એકબાજૂએ રાખી મુકવામા આવ્યું છે.
ગામ લોકો એકઠા થઈ ગયા
સોમવારે સવારે જ્યારે ગ્રામ લોકો મંદિરે પહોંચ્યો તો, નજારો જોઈને અત્યંત ગુસ્સે થયા હતા. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને હોબાળો કર્યો હતો. મંદિરની અંદર માંસના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે બહલોલપુરમાં આવેલી મટનની દુકાનો પર બુલડોઝર ફેરવી દીધા હતા.
તપાસમાં લાગી પોલીસ
નોઈડા પોલીસના હરીશ ચંદરે જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસને ગામના શિવમંદિરમાં તોડફોડ થઈ હોવાની સૂચના મળી છે. તેમણે કહ્યું કે, ફોરેન્સિક નિષ્ણાંતો અને ડોગ સ્કોવડની સાથે સાથે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, પોલીસ આગળની કાર્યવાહી કરી મોટી એક્શન લેશે.