કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ફરી એકવખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.
કોંગ્રેસી નેતા શશિ થરૂરે PM મોદીના કર્યા વખાણ
કહ્યું- સરદાર અને ગાંધીથી અલગ છાપ કરી ઉભી
ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવાની કહી વાત
થરુરનું માનવું છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ એક રાષ્ટ્રીય અપીલ અને ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતા હતા અને નરેન્દ્ર મોદી પણ એવું જ કરી રહ્યા છે.
PM મોદીને ગણાવ્યા ચતુર નેતા
થરૂરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ચતુર રાજનેતા ગણાવ્યા હતા. આ વાત તેમણે પોતાના પુસ્તક 'Pride, Prejudice and Punditry: The Essential Shashi Tharoor' માં લખી છે.
સરદાર અને ગાંધીથી અલગ છાપ કરી ઉભી
શરૂરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, નરેન્દ્ર મોદી ચતુર રાજનેતા છે જેમણે ગુજરાતીઓ અને ખાસ કરીને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલથી અલગ છાપ ઉભી કરી છે. જેની શરૂઆત 2014થી આ છાપ બનાવવાની શરૂઆત થઈ ચૂકી હતી, જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિરાસત પર આક્રમક રીતે દાવો કર્યો હતો.
થરૂરે લખ્યું કે, પાર્ટી લાઈનથી અલગ જતા મોદીએ 600 ફૂટ ઊંચી સરદાર પટેલની મૂર્તિ માટે દેશભરના ખેડૂતોને લોખંડ દાનમાં આપવા માટે અપીલ કરી હતી. આ મૂર્તિ દુનિયામાં સૌથી ઊંચી છે જેણે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને પણ નાની ગણાવી છે. થરૂરે લખ્યું કે, 2002માં તોફાનો બાદ નરેન્દ્ર મોદીની છબિ ખરડાઈ હતી, જો કે, ત્યારબાદ તેમણે પટેલની જેમ કઠોર અને નિર્ણાયક કાર્યવાહી કરનારા નેતા તરીકે પોતાને રજૂ કર્યા હતા.
મોદીપણ ગુજરાતીઓનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ
તેમણે લખ્યું કે, સરદાર પટેલ એક રાષ્ટ્રીય અપીલ અને ગુજરાતી મૂળના વ્યક્તિ બંન્નેનું પ્રતિનિધિત્વ કરતા હતા જે મોદી માટે અનુકૂળ છે અને ગુજરાતીઓમાં પટેલ બાદ મોદી જેમ સંદેશ પણ ગુંજી ઉઠ્યો છે.
જો કે, તેમણે એવું પણ આલેખ્યું છે કે, મોટું ધર્મ સંકટ એ છે કે, મોદી જેવા સ્વઘોષિત હિંદૂ રાષ્ટ્રવાદી પોતાને ગાંધીવાદી નેતા ગણાવી રહ્યા છે. જેમણે ક્યારેય પોતાના ભારતીય રાષ્ટ્રવાદને ધાર્મિક લેબલ સાથે નથી દેખાડ્યો. તેમણે વધુમાં લખ્યું કે, સરદાર ધર્મ અને જાતિથી હટીને તમામ માટે સમાન અધિકારોમાં વિશ્વાસ રાખતા હતા. આ પુસ્તકમાં થરૂરે અટલ બિહારી વાયપેયીના નિધન બાદ પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરું વિશે જે કહ્યું હતું તેનો ઉલ્લેખ પણ કર્યો છે.