આસો સુદ પુનમ એટલે કે શરદ પૂર્ણિમા 30 ઓક્ટોબર, શુક્રવારનાં રોજ ઉજવાશે. વર્ષમાં દરેક માસે આવતી પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે પરંતુ શરદ પૂનમની રાત્રિનું સૌંદર્ય કંઇક અલગ જ હોય છે.આ દિવસે ચંદ્રની સાથે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખાસ મંત્ર જાપ અને ઉપાયો પણ કરવામાં આવે છે. તો જાણો કયા મંત્ર અને ઉપાયોથી તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે.
આજે શરદ પૂનમનો તહેવાર ઉજવાશે
શરદ પૂનમની રાતે કરો આ મંત્ર જાપ
દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ છે આ ઉપાય
આજે કરો આ ખાસ ઉપાયો
માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીને સફેદ રંગની કોડીઓ ખૂબ પ્રિય છે. શરદ પૂનમના દિવસે સાંજે માતા લક્ષ્મીની પૂજામાં કોડીઓ રાખો. ઓછામાં ઓછી 5 કોડીઓ પૂજા ઘરમાં રાખવાથી માતા પ્રસન્ન થાય છે. પૂજા પત્યા બાદ તેને લાલ કપડાંમાં પોટલી બનાવીને કબાટમાં રાખો. તેનાથી ઘરમાં રૂપિયા વધશે.
માતા લક્ષ્મીની પૂજા કરો અને સફેદ મીઠાઈ કે કેસરની ખીરનો ભોગ ચઢાવો. સંધ્યા સમયે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના પૂજન એક સાથે કરો. તેનાથી માતા લક્ષ્મીની સાથે શ્રી હરિની કૃપા પણ મળશે અને ઘરમાં સંપન્નતા વધશે.
જાણો કયા મંત્ર જાપથી મળશે વધુ સફળતા
આ દિવસે ચંદ્રને પ્રસન્ન કરવાના પ્રયાસ કરવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત કરવી હોય અથવા મનને સ્થિર બનાવવું હોય. આ ચંદ્ર મંત્ર મનની શાંતિ અને શીતળતા સાથે અપાર ધન, ધાન્ય, સંપત્તિ અને ઐશ્વર્ય આપે છે. આ શરદ પૂનમની રાત્રે આ 5 વિશેષ મંત્રોથી ચંદ્ર દેવની કૃપા મળે છે.