શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. તે માણસને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિદેવ અત્યારે વક્રી ચાલી રહ્યાં છે. તે ધનતેરસે માર્ગી થશે. જેનાથી અમુક રાશિના જાતકોને શુભ ફળ મળશે.
શનિ દેવ ધનતેરસે માર્ગી થશે
અમુક રાશિના જાતકોને શુભ ફળ મળશે
શનિ 17 જાન્યુઆરી 2023ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે
શનિ દેવ મકર રાશિમાં માર્ગી થશે
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. બધા નવ ગ્રહોમાં તેમનુ સ્થાન મહત્વપૂર્ણ છે. દરેક માણસની તમન્ના હોય છે શનિદેવની કૃપાદ્રષ્ટિ તેની પર પડે. કારણકે તેની નકારાત્મક દ્રષ્ટિ પડવાથી માણસને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શનિદેવ અત્યારે મકર રાશિમાં વક્રી અવસ્થામાં છે એટલેકે ઉલ્ટી ચાલ ચાલી રહ્યાં છે. શનિ આ રાશિમાં 23 ઓક્ટોબરે માર્ગી થશે અને 17 જાન્યુઆરી 2023 સુધી મકર રાશિમાં જ માર્ગી અવસ્થામાં રહેશે. ત્યારબાદ તેઓ 17 જાન્યુઆરી 2023ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં શનિ દેવના માર્ગી થવાથી બધી રાશિમાં શુભ અને અશુભ પ્રભાવ પડશે. એવામાં જાણીએ કે તેમના માર્ગી થવાથી કઈ રાશિઓનુ નસીબ ચમકશે.
મકર રાશિ
શનિદેવ મકર રાશિમાં માર્ગી થવાથી પંચ મહાપુરૂષ યોગ બનાવશે. જેનાથી મકર રાશિના જાતકોને ઘણો ફાયદો પહોંચશે. તેમને દરેક કામમાં સફળતા મળશે. અટકેલા કામ થશે. ધન લાભ થશે. અટકેલા કાર્ય પૂરા થશે. નોકરીમાં પ્રગતિ થશે અને બિઝનેસમાં લાભ થશે.
કુંભ રાશિ
ધનતેરસના દિવસે શનિદેવના માર્ગી થવાથી કુંભ રાશિના જાતકોને શુભ ફળ મળશે. શનિ માર્ગી અવસ્થામાં થવાથી આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નોકરીની તલાશ કરી રહેલા લોકોની ઈચ્છા પૂરી થઇ શકે છે. વેપારીઓને વ્યાપારમાં ઘણો લાભ મળશે.
મીન રાશિ
શનિદેવ મકર રાશિમાં જ્યારે વક્રી અવસ્થામાંથી માર્ગી થશે ત્યારે મીન રાશિના જાતકોને તગડો લાભ કરાવશે. આ રાશિના જાતકોને ઘણો ધનલાભ થશે. ક્યાકથી રોકાયેલુ અથવા આકસ્મિક ધન પ્રાપ્ત થઇ શકે છે. નોકરીની સારી ઑફર મળી શકે છે.