મધ એક એવી એન્ટિબાયોટીક ઔષધિ છે, જે પૂર્ણ પ્રાકૃત્તિક છે. સ્વાસ્થ્ય અને સુંદરતા માટે મધનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અમે આપને અહીં એવા 10 ઉપાય બતાવવા જઇ રહ્યા છીએ જેનો ઉલ્લેખ લાલ કિતાબ અને જ્યોતિષ શાસ્ત્રોમાં મળે છે. જોકે આ ઉપાયને વિશેષજ્ઞને પૂછીને અજમાવા જોઇએ.
1) શનિની સાઢેસાતી, ઢૈય્યા અથવા કુંડલીમાં શનિ નીચ સ્થિતિમાં હોય તથા ખરાબ ફળ આપી રહ્યો હોય તો ઘરમાં એક માટીના પાત્રમાં મધ રાખવું જોઇએ અને મંદિરમાં મધનું દાન કરવું જોઇએ. તેથી શનિના ખરાબ ફળ મળતું બંધ થઇ જશે. ઘરમાં મધ રાખવા અને ખાવાથી શનિ શાંત બને છે.
2) ચતુર્થ ભાવમાં મંગળ હોય અને અશુભ હોય તો, મધનો વેપાર ક્યારે ન કરવો જોઇએ. મંગળ ચોથા ભાવમાં બેસી અશુભ હોય તો માટીના પાત્રમાં મધ ભરીને તેને શ્મશાન ભૂમિમાં દબાવી દેવું જોઇએ.
3) પહેલા ભાવમાં સૂર્ય હોય તો રવિવારના દિવસે મધનું દાન કરવું જોઇએ. તેથી ખરાબ પ્રભાવ દુર થઇ વ્યક્તિને ખુબ જ લાભ મળે છે.
4) આઠમા ભાવમાં બુધ ગ્રહના અશુભ પરિણામોને ઓછા કરવા માટે માટીના ઘડામાં મધ ભરી શ્મશાન ભૂમિમાં દબાવી દેવું શુભ માનવામાં આવે છે. બુધના ખરાબ થવાથી વેપાર, નોકરીમાં નુકશાન થાય છે.
5) જો તમારી કુંડળીમાં દશમ ભાવમાં કેતુ હોય તો ચાંદીના વાસણમાં મધ ભરી ઘરમાં રાખવું. તેથી કેતૂના ખરાબ પ્રભાવ સમાપ્ત થઇ જાય છે.
6) જો શુક્ર ખરાબ ફળ આપી રહ્યો છે તો ચાંદી અને માટીના વાસણમાં મધ ભરીને ઘરની છત પર યોગ્ય સ્થાન પર સુરક્ષિત મુકી દેવું. શુક્ર ખરાબ થવાથી સ્ત્રી, ધન, ભૂમિ, વાહન અને ભવન સુખથી વ્યક્તિ વંચિત રહે છે.
7) બારમાં ભાવમાં મંગળ હોય તો દિવસની શરૂઆત મધ સાથે કરશો તો ખુબ જ લાભ થશે. વ્યવ ભાવમાં મંગળ અશુભ હોય તો જાતકે નિત્ય સવારે ખાલી પેટ મધનું સેવન કરવું જોઇએ. જન્મ કુંડલીના બારમાં ભાવમાં મંગળ અશુભ બનીને બેઠો હોય તો મધ મેળવીને લોકોને પીવડાવવું જોઇએ.
8) મંગળની શાંતિ માટે વહેતા પાણીમાં મધ વહેવડાવું.
9) કુંડલીના બીજા ભાવમાં જો શુક્ર બેઠો હોય તો મધનું દાન કરવું જોઇએ. તેથી મંગળનો દોષ દુર થાય છે અને સંતાનની સમસ્યા દૂર થાય છે. જો જાતક સ્ત્રી હોય તો શુક્ર સંતાનની સમસ્યા આપે છે. જ્યારે જાતક જો પુરુષ હોય તો પુત્ર સંતાનની પ્રાપ્તિમાં બાધા ઉત્પન્ન થાય છે.
10) નવમા ભાવમા જો શુક્ર સારી સ્થિતિમાં ન હોય તો જાતક ઘણી મહેનતથી ધન કમાવવું પડે છે. જો સારો હોય તો ચિંતાની સ્થિતિ નથી. નવમા ભાવમાં શુક્ર ખરાબ સ્થિતિમાં હોય તો ઘરના પાયામાં મધ દબાવી દેવું.
નોંધ- મધની પ્રકૃત્તિ ગરમ હોય છે, તેથી ગરમ પ્રકૃતિ વાળા લોકોએ તેનો વધુ પડતો ઉપયોગ ટાળવો.