મુંબઇઃ શહેરના સીએસટી રેલવે સ્ટેશનની પાસે ફુટ ઓવર બ્રીજ ધરાશાયી થયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે કાટમાળ નીચે દટાયેલા 7થી 8 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જણાવી દઇએ કે સીએસટી રેલવે સ્ટેશન જાણીતુ છે. આ બ્રીજ આઝાદ મેદાનને સીએસટી રેલવે સ્ટેશન સાથે જોડે છે.
હાજર લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે આ બ્રીજ ધરાશાયી થયો તો ત્યાં કેટલાક લોકો હાજર હતા. આ સિવાય કેટલીક ગાડીઓ પણ બ્રીજ નીચે હાજર હતી. પ્લેટફોર્મ 1 બીટી લેનની પાસે બ્રીજ તૂટી પડ્યો છે.
જોકે એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડવાની કામગીરી ચાલી રહી છે.
#WATCH Mumbai: A foot over bridge near Chhatrapati Shivaji Maharaj Terminus (CSMT) railway station has collapsed. Multiple injuries have been reported. pic.twitter.com/r43zS5eA0l