રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અને જાહેરાતની જબરદસ્ત મેરેથોન બેઠકો ચાલી રહી છે. એવામાં હવે BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે.
BTPએ ઉમદવારોના નામનું બીજુ લિસ્ટ જાહેર
માંગરોળથી સુભાષ વસાવા ચૂંટણી લડશે
ખેડબ્રહ્માથી રવજી પાંડોરને મેદાને ઉતાર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી કેટલીક યાદી જાહેર કરી દીધી છે. તો 4 નવેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ વચ્ચે હવે ભારતીય ટ્રાયબલ પાર્ટી પણ આગામી ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટી દ્વારા 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ....
BTP પાર્ટીએ બીજી યાદી જાહેર
બેઠક
ઉમેદવારના નામ
માંગરોળ
થી સુભાષ વસાવા
ઝઘડિયા
થી મહેશ વસાવા
ડેડિયાપાડા
બહાદુરસિંહ વસાવા
ખેડબ્રહ્મા
રવજી પાંડોર
જેતપુરપાવી
નરેન્દ્ર રાઠવા
અંકલેશ્વર
નીતિવ વસાવા
પ્રથમ યાદીમાં BTPએ 12 ઉમેદવાર જાહેર કર્યા હતા
પ્રથમ યાદીમાં BTPએ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. નાંદોદ બેઠક પર મહેશ શરદ વસાવાને ટિકિટ આપવામાં આવી. જ્યારે ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારા, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારા, દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડા, સંખેડા બેઠક પરથી ફુરકન રાઠવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીત, નિઝર બેઠક પરથી સમીર નાઈક, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરે, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલ, નાંદોદ બેઠક પરથી મહેશ સરાદભાઈ વસાવા અને ઓલપાડ બેઠક પરથી વિજય વસાવાને ટિકિટ આપવામાં આવી છે.
2017માં બીટીપીને મળી હતી 2 સીટો
ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 182 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો કબજે કરી હતી. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ને 77 સીટો મળી હતી. તો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના 2 ઉમેદવાર, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 1 ઉમેદવાર અને અપક્ષના 3 ઉમેદવારોનો વિજય થયો હતો. ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુભાઈ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.
ટૂંક સમયમાં જ તૂટી ગયું હતું AAP અને BTP વચ્ચે ગઠબંધન
ઉલ્લેખનીય છે કે, તારીખ 1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય.' જે બાદ AAP અને BTP વચ્ચે ગઠબંધન ટૂંક સમયમાં જ તૂટી ગયું હતું. આ અંગે છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી.' છોટુ વસાવાએ આપના નેતાઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આપના નેતાઓ બીટીપીનું કહેલું માનતા નહોતા. ટોપીવાળા આપના લોકો ક્યાંય જોવા મળતા નહોતા.