બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / Scrutiny of Board Papers by Gujarat Board of Secondary and Higher Secondary Education
Kishor
Last Updated: 11:57 PM, 13 April 2023
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂર્ણ થયેલી ધો. ૧૦ અને ધો. ૧રની વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્રનું મૂલ્યાંકન હવે પૂર્ણતાના આરે છે. ધો. ૧૦ અને ધો. ૧રમાં અંદાજે ૬૮ હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યમાં ૩૬૩ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યાં છે. ધો. ૧ર સામાન્ય પ્રવાહ માટે પણ રાજ્યમાં ૧૪૪ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યાં છે. આ મૂલ્યાંકન કેન્દ્ર પર ૩૦ હજાર શિક્ષકો દ્વારા ધો. ૧ર સામાન્ય પ્રવાહની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આમ, સમગ્ર રાજ્યમાં ધો. ૧૦ અને ૧રનાં મળી કુલ ૩૬૩ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે.
ગત વર્ષે ૬૧ હજાર શિક્ષક મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા
ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુ સંખ્યામાં શિક્ષકોને મૂલ્યાંકન માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ગત વર્ષે ધો. ૧૦માં રપ હજાર શિક્ષકો હતા, ધો. ૧ર સાયન્સમાં નવ હજાર અને સામાન્ય પ્રવાહમાં ર૭ હજાર શિક્ષકો મૂલ્યાંકન માટે બોલાવવામાં આવ્યા હતા. ગત વર્ષે ૬૧ હજાર શિક્ષક મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. આ વખતે સાત હજાર વધુ શિક્ષકને મૂલ્યાંકન કામગીરી માટે બોલાવવામાં આવ્યા છે.
રૂ. ૭.પ૦થી લઇ ને રૂ. ૧૦ મહેનતાણું ચૂકવવામાં આવે
પરીક્ષકને ઉત્તરવહીના મૂલ્યાંકન દરમિયાન એવું લાગે કે પરીક્ષાર્થીએ ગેરરીતિ આચરી છે તો તેમણે તે ઉત્તરવહીનું મૂલ્યાંકન કરીને આવો વહેમ કે શંકા આવવાનાં સબળ કારણો લેખિતમાં જણાવી તે ઉત્તરવહી મૂલ્યાંકન સ્થળના નિયામકને અલગથી આપવાની રહેશે, જેમ કે વિદ્યાર્થીની ઓળખ આપતું લખાણ કે ચિહ્ન દર્શાવેલાં હોય, રૂપિયાની નોટ મૂકી હોય, ચિઠ્ઠીઓ મૂકી હોય, બારકોડને નુકસાન કર્યું હોય વગેરે માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના તમામ કર્મચારીઓને સ્પષ્ટ સૂચના છે કે આ પ્રકારની બાબતો પરીક્ષા સચિવની પૂર્વમંજૂરી સિવાય પ્રસાર માધ્યમો સમક્ષ મૂકવી નહીં. પ્રશ્નપત્ર મૂલ્યાંકન માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં કો-ઓિર્ડનેટરે લીલી શાહીની પેન વાપરવી, પરીક્ષકે લાલ શાહીની પેન વાપરવી, સમીક્ષકે કાળી શાહીની પેન વાપરવી અને વેરિફિકેશન માટે પેન્સિલ વાપરવી. આ પેપર મૂલ્યાંકન માટે નિરીક્ષકને પ્રશ્નપત્રની ઉત્તરવહી ચકાસવા માટે રૂ. ૭.પ૦થી લઇ ને રૂ. ૧૦ મહેનતાણું ચૂકવવામાં આવે છે અને પરીક્ષકની એક ભૂલદીઠ રૂ. ૧૦ દંડ પણ થશે. બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં ધોરણ-૧૦માં એક શિક્ષક દ્વારા એક દિવસમાં ૩૬ જેટલી ઉત્તરવહી તપાસવામાં આવે છે, જ્યારે ધોરણ-૧રમાં એક શિક્ષક દ્વારા ૩૦ જેટલી ઉત્તરવહી તપાસવામાં આવતી હોવાનું જાણવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army