મગજ વિજ્ઞાનના ક્ષેત્રમાં વિજ્ઞાનીઓએ એક મોટી સફળતા મેળવી છે, તેનાથી આવનારા દિવસોમાં દુઃખ અને ચિંતા જેવી માનસિક બીમારીઓના ઇલાજમાં મહત્ત્વની સફળતા મળી શકે છે. સંશોધકોએ મગજમાં એક એવી સર્કિટની શોધ કરી છે, જે બંને વિપરીત વ્યવહાર આનંદ અને દુઃખની સ્થિતિમાં કામ કરે છે.
સંશોધકોએ જણાવ્યું કે મગજમાં તંત્રિકા કોશિકાઓના વિવિધ વર્ગ સકારાત્મક અને નકારાત્મક વિચારોને નિયંત્રિત કરે છે. તે માટે મગજના કેન્દ્રમાં વિચારોથી વિપરીત સિગ્નલ મોકલે છે.
અમેરિકાની કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરીના બો લી સહિત અન્ય સંશોધકોએ જણાવ્યું કે તંત્રિકાઓના આ બંને સમૂહની ગતિવિધિમાં સંતુલનથી જાણ થાય છે કે કોઇ વ્યક્તિ સકારાત્મક વિચારો દરમિયાન આનંદ શોધે છે કે નકારાત્મક વિચારો દરમિયાન પોતાની પરેશાનીથી છુટકારો મેળવે છે.
વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર આ તંત્રિકા કોશિકાઓ દ્વારા નિયંત્રિત વ્યવહાર માનસિક બીમારીથી પીડાતા લોકોમાં બાધિત થાય છે. સંશોધકોએ જણાવ્યું કે ડિપ્રેશન થી પીડાતા લોકો એ કાર્યો કરવાનું બંધ કરી દે છે, જેનાથી તેમને ક્યારેક ખુશી મળતી હતી. સંભવિત ખતરાથી બચવા તેઓ કોઇ પણ હદ સુધી ચિંતા કરતા રહે છે.
કોઇ પણ વ્યક્તિમાં આનંદ અને દુઃખ ની ઓળખ અને પ્રતિક્રિયા આપવાની ક્ષમતા આંશિક રીતે મગજ ના ખાસ ભાગ પર નિર્ભર છે. મગજના આ ભાગમાં વિવિધ પ્રકારના ન્યુરોન બંને પ્રકારના સંકેત સાથે કેવી રીતે જોડાયેલા હોય છે તે વિજ્ઞાનીઓની ટીમ સમજવા ઇચ્છતી હતી.