બહુચર્ચિત INX Media કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી ચીદમ્બરમને દિવાળી સુધરી છે, સુપ્રીમ કોર્ટે CBIના કેસમાં જામીન આપ્યાં છે. જ્યારે હજુ EDના કેસમાં 24મી સુધી કસ્ટડીમાં રહેશે. જો કે લાંબા સમય બાદ જામીન મળતાં ચિદમ્બરમે રાહતના શ્વાસ લીધા છે.
ચિદમ્બરમ કેસમાં અપાયો નિર્ણય
SCએ આપ્યો INX મીડિયા કેસમાં ચુકાદો
ચિદમ્બરમને આપવામાં આવ્યા જામીન
Supreme Court grants bail to Congress leader P Chidambaram in the INX Media case registered by the CBI. pic.twitter.com/gtyy6RnXu9
ચિદમ્બરમની તરફથી તેમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને વિશ્વાસ આપ્યો કે ચિદમ્બરમ દેશ છોડીને ભાગશે નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં ચર્ચા પૂર્ણ થઈ હતી. જજ આર ભાનુમતિની 3 સભ્યોની ખંડપીઠ સમક્ષ સીબીઆઈની તરફથી સોલીસિટર જનરલ તુષાર મહેતાએ ચિદમ્બરમની જામીનની અરજીનો વિરોધ કરતાં કહ્યું કે દેશ હવે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં.
ચિદમ્બરમને જમાનત પર છોડી શકાય નહીંઃ તુષાર મહેતા
મહેતાએ કહ્યું કે ચાર્જશીટ વૈજ્ઞાનિક અને કાયદાના આધારે થાય છે. એવામાં આરોપી ચિદમ્બરમને જમાનત પર છોડી શકાય નહીં. તેઓએ કહ્યું કે આખરે અમે કઈ હદ સુધી ભ્રષ્ટાચારને સહન કરવા તૈયાર છીએ તે નક્કી કરવું જોઈએ. પ્રવર્તન નિર્દેશાલય મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યું છે. ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગની વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સની નીતિ હોવી જરૂરી છે. તેઓએ એમ પણ કહ્યું કે ચિદમ્બરમના દેશથી ભાગી જવાનો ખતરો છે.