ATM મશીનમાથી કેશ ના હાવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે ત્યારે ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને એક મોટી ગિફ્ટ આપી છે. હવે ATM થી જો કેશ મેળવવા માટે થતી હશે તો નજીકના પ્વાઇંટ ઓફ સેલ્સ POS માંથી પણ પૈસા ઉપાડી શકાશે. અને તે રકમ ઉપાડવા માટે કોઇ પ્રકારનો ચાર્જ નહીં લેવામાં આવે તેવી વાત SBIના વરિષ્ઠ અધિકારીએ જણાવેલ.
રોજ ઉપાડી શકાશે 2000 સુધી કેશ
SBIની આ સુવિધાનો લાભ તમામ બેંકોના ખાતા ધારકોને મળવા પાત્ર છે. ભારતીય રિઝર્વ બેંકની ગાઇડલાઇન મુજબ ટિયર 1 અને 2 શહેરોમાં રહેવા વાળા લોકો 1 હજાર રૂપિયા અને ટિયર 3 અને 6 માં રહેવા વાળા ડેબિટ કાર્ડ ધારકો 2000 ઉપાડી શકશે.
SBIના દેશભરમાં છે 6 લાખ મશીન
બેંક દ્વારા જણાવવામાં આવેલ એ માહિતી પ્રમાણે SBIના કુલ 6.08 લાખ POS મશીનો છે જેમાંથી 4.78 લાખ POS મશીનોથી SBIના ગ્રાહકો અને બેંકોના ગ્રાહકોના રોકડ ઉપાડવાની સુવિધા આપવામાં આવેલ છે.