દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા હવે પોતાના ગ્રાહકો માટે ATM માંથી રૂપિયા નીકાળવા માટે વન ટાઇમ પાસવર્ડ (OTP) ની સુવિધા લઇને આવી રહી છે. બેંક ATM ગ્રાહકો દ્વારા ATM ની મદદથી રૂપિયા નીકાળવા પર થનારા નુકસાનથી બચાવવા માટે આ પગલું ભરવા જઇ રહી છે.
ATM ટ્રાન્ઝેક્શન ફ્રોડને રોકવા માટે બેંક 1 જાન્યુઆરી 2020થી વન ટાઈમ પાસવર્ડ આધારિત કેશ વિથડ્રૉઅલ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. તેના અંતર્ગત રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી ATMમાંથી રોકડ ઉપાડ કરતી વખતે બેંકમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને ATMમાં એન્ટર કર્યા પછી જ રોકડ ઉપાડી શકાશે. આ નિયમ 10 હજાર રૂપિયા કરતાં વધુનાં કેશ ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે. SBIએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે.
- પૈસા ઉપાડવા માટે જ્યારે ગ્રાહક SBIનાં ATMમાં જશો ત્યારે કાર્ડ સ્વાઈપ કર્યા બાદ બેંકમાં રજિસ્ટર્ડ તમારા મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે, જે તમારે એન્ટર કરવાનો રહેશે. .
- આ સુવિધા હેઠળ SBI ATM માંથી રૂપિયા નીકાળવાની પ્રક્રિયામાં કોઇ મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવશે નહી.
- જો ગ્રાહક બીજી બેંકમાં ATM કાર્ડથી રૂપિયા નીકાળશે તો તેમણે OTP ની સુવિધા મળશે નહી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પગલે વર્ષ 2018-19માં 71,543 કરોડ રૂપિયાની બેંકિંગ છેતરપિંડી થઈ હતી. આ સમયગાળા દરમિયાન બેંકમાં છેતરપિંડીના 6800થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2017-18માં બેંક છેતરપિંડીના 5,916 કેસ નોંધાયા હતા. તેમાં 41,167 કરોડથી વધુની છેતરપિંડી થઈ હતી. ગત નાણાકીય વર્ષમાં બેંક ફ્રોડના કુલ 53,334 કેસ સામે આવ્યા છે અને 2.05 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.