પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીના નિવેદનથી નારાજ સાઉદી અરબે ઇસ્લામાબાદ સાથે દાયકા જૂનો સંબંધ તોડી નાંખવાની જાહેરાત કરી. આમ પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે. જો કે આ જૂનો સંબંધ તૂટતા પાકિસ્તાન સરકારે પોતાના સેના પ્રમુખ કમર જાવેદને સાઉદી અરબને મનાવવા મોકલી દીધા છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ નારાજ સાઉદી અરબે પાકિસ્તાનને આર્થિક સહાય અને ઓઇલ આપવાનું બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાનને 7482 કરોડની લોન પરત કરવા અંગે પણ જણાવામાં આવ્યું છે. સાઉદી અરબે પાકિસ્તાનને 2018માં 6.2 અરબલ ડોલરની લોન આપી હતી. જેમાં 3 અરબ ડોલર પેટ્રોલિયમ વસ્તુ લેવા તેમજ તેને સાચવવા માટે આપ્યાં હતા.
સાઉદીના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને ગત વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન કાશ્મીરને લઇને ઇસ્લામિક સહયોગસંગઠન (OIC)ની બેઠક બોલાવા પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ સાઉદી અરબ તેના માટે તૈયાર નથી.
સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું પાકિસ્તાન
22 મેના રોજ કાશ્મીરમાં OICના સભ્યોનું સમર્થન મેળવવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું હતું કે તેનું કારણ છે કે આપાણી વચ્ચે એકજૂટતા નથી, માત્ર વિભાજન છે.
સેનાનો પ્રયત્ન રહ્યો નિષ્ફળ
પાકિસ્તાનના સેના પ્રમુખજનરલ કમર જાવેદ બાજવા સોમવારે સાઉદી અરબના રાજદૂતને મળ્યાં. જો કે આ મુલાકાતને લઇને કોઇ પરિણામ આવ્યું નહી.
વિદેશમંત્રીનું નિવેદનથી બગડ્યાં સંબંધ
કાશ્મીર પર પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરેશના એક વિવાદીત નિવેદન પછી બંને દેશો વચ્ચે સંબંધો બગડવાની શરૂઆત થઇ ગઇ હતી. પાકિસ્તાનના વિદેશમંત્રીએ કાશ્મીર મુદ્દે સાઉદી અરબના વલણની ટીકા કરી હતી. આમ પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદન બાદથી સાઉદી અરબ નારાજ થયું હતું.