સ્વામિનારાયણનાં વધુ એક સંતે વિવાદીત ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની કથામાં દાખલો આપવા માટે સંતે દલિત પર વિવાદીત ટિપ્પણી કરી છે. આ મામલે જામનગરનાં પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે. ચંદ્રગુપ્ત રાઠોડે સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સર્વમંગલદાસજી સ્વામી સામે FIR નોંધવાની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ સર્વમંગલદાસજી સ્વામીએ પોતાની કથામાં દાખલો આપવા માટે વિવાદીત ટિપ્પણી કરી. પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ થતા દલિત સમાજમાં રોષ જોવાં મળી રહ્યો છે. જો કે સંતની આ ટિપ્પણીને મામલે જામનગરનાં પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે.
ચંદ્રગુપ્ત રાઠોડે સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સર્વમંગલદાસજી સ્વામી સામે FIR નોંધવાની માંગ કરી છે. મળતી માહિતી મુજબ સર્વમંગલદાસજી સ્વામીએ પોતાની કથામાં દાખલો આપવા માટે આવી વિવાદીત ટિપ્પણી કરી હતી. પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ થતા દલિત સમાજમાં રોષ જોવાં મળી રહ્યો છે.
દલિત (Dalit) વિરૂદ્ધ ટિપ્પણી કરતા સ્વામી મંગલદાસ વિવાદમાં ફસાયાં છે. અમદાવાદ, રાજકોટ અને જામનગરમાં સ્વામી મંગલદાસ વિરૂદ્ધમાં અરજીઓ થઈ રહી છે. અમદાવાદમાં વેજલપુરમાં સ્વામી વિરૂદ્ધ એટ્રોસિટીની અરજી થઈ છે. રાજકોટમાં સ્વામી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની અરજી થઈ છે. જ્યારે જામનગરમાં પણ દલિત આગેવાનોએ મળીને સ્વામી વિરૂદ્ધ FIR દાખલ કરવા માટે અરજી કરી હતી. સ્વામી મંગલદાસે પોતાની સભામાં દલિત માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને લઈને સમાજમાં રોષ જોવાં મળી રહ્યો છે.
જો કે મહત્વની બાબત એ છે કે આ મામલે હવે સતશ્રી સ્વામી (Satshri swami) એ દલિત સમાજ પાસે માફી માંગી છે. સતશ્રી સ્વામીએ પોતાનો માફી (Apologies) માંગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે. આ વીડિયોમાં સ્વામીએ કહ્યું કે, 'દલિત સમાજ પાસે હું માફી માગું છું. મારો ઈરાદો કોઈ વ્યક્તિનું દિલ દુભાવાનો ન હતો. મારો જૂનો વીડિયો હવે સોશિયલ મીડિયા (social media) માં વાયરલ થઈ રહ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું કે, હું દલિત સમાજનો વિરોધી નથી અને માણસ જન્મથી નહીં પણ પોતે કરેલા કર્મથી માણસ ઓળખાય છે.'
સતશ્રીનો એક સભાનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થયો છે. સભામાં તેમણે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને લઈને દલિત સમાજમાં રોષ જોવાં મળ્યો છે. રોષે ભરાયેલા કેટલાંક લોકોએ જામનગર, અમદાવાદ અને રાજકોટમાં આ મામલે અરજી પણ કરી છે.