કોરોના વાયરસને કારણે ટીવી પર 80 અને 90ના દાયકાના શોધ ફરી પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે. જેમમાં રામાયણ-મહાભારતને ટીઆરપીના રેકોર્ડ બ્રેક કરી દીધા છે. ત્યારે હવે રામાનંદ સાગરની સીરિયલ શ્રી કૃષ્ણા પણ ફરી પ્રસારિત થવાની છે. રામાયણ અને મહાભારતને દર્શકોનો જે પ્રેમ મળ્યો તેને જોતા દૂરદર્શને આ નિર્ણય લીધો છે. જેથી લોકોના મનમાં હવે સવાલ થઈ રહ્યો છે કે, શ્રી કૃષ્ણાનો લીડ રોલ ભજવનાર કલાકાર હાલ ક્યાં છે અને શું કરી રહ્યો છે.
દૂરદર્શન હવે શ્રી કૃષ્ણા પ્રસારિત કરશે
તો આ શોમાં લીડ રોલ નિભાવનાર શ્રી કૃષ્ણા આવ્યા લાઈમલાઈટમાં
20 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીથી દૂર આ કામ કરી રહ્યાં છે કૃષ્ણા
રામાનંદ સાગરની ટીવી સીરિયલ શ્રી કૃષ્ણામાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવીને દર્શકોમાં એક આગવી ઓળખ બનાવનાર અભિનેતા સર્વદામન ડી બેનર્જીને કેવી રીતે ભૂલી શકાય. સર્વદમન ડી. બેનર્જીનો જન્મ ઉન્નાવના મગરવાડામાં 14 માર્ચ 1965માં થયો હતો. આ શોએ તેને સ્ટાર બનાવી દીધો હતો અને આ પછી તેને ઘણાં શોઝની ઓફર મળવા લાગી હતી. 'અર્જુન', 'જય ગંગા મૈયા' અને 'ઓમ નમ શિવાય'માં પણ તેઓ વિષ્ણુ અથવા કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
A post shared by shree krishna (@sarvadaman.d.banerjeeofficial) on
કાનપુરથી અભ્યાસ પૂરો કર્યા બાદ સર્વદમને પુણે ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાંથી ગ્રેજ્યુએશન કર્યું. તેણે પોતાની કારકિર્દીમાં હિન્દી, તેલુગુ અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું. જોકે, તેને ઓળખ સીરિયલ શ્રી કૃષ્ણથી મળી.
ભગવાન શ્રીકૃષ્ણની શાનદાર ભૂમિકા નિભાવનાર સર્વદમન ફિલ્મ જગતથી દૂર છે. હવે તે ઋષિકેશમાં પર્વતોની વચ્ચે પોતાનું એક મેડિટેશન સેન્ટર ચલાવે છે, જ્યાં લોકો પ્રકૃતિની વચ્ચે ધ્યાનનો આનંદ માણે છે. આની સાથે જ તે એનજીઓ પણ ચલાવે છે. જેનું નામ પંખ છે. જેમાં 200 જેટલા બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે અને ઉત્તરાખંડની 50 ગરીબ મહિલાઓને જીવનનિર્વાહ માટે તાલીમ આપે છે.
એક ઈન્ટરવ્યૂમાં સર્વદમને જણાવ્યું હતું કે, તેણે શા માટે મનોરંજન ઉદ્યોગથી અંતર બનાવી લીધું. તેણે કહ્યું- મેં કૃષ્ણા શો કરતી વખતે જ નિર્ણય લઈ લીધો હતો કે હું 45-47 વર્ષની ઉંમર સુધી જ કામ કરીશ. ગ્લેમરની દુનિયામાં ગ્લેમર છે જ નહીં. એ તો માત્ર જોનાર માટે જ છે. તેણે આગળ કહ્યું- મને કંઈક અલગ કરવાની ઈચ્છા હતી. બાળપણથી જ મારી અંદર આધ્યાત્મિક એનર્જી હતી. પછી મને મેડિટેશનમાં આગળ વધવાની તક મળી અને હવે છેલ્લા 20 વર્ષથી હું આ જ કામ કરી રહ્યો છું.
તેમણે બાળપણનો ઉલ્લેખ કરીને કહ્યું- જ્યારે તેઓ પાંચ વર્ષના હતા ત્યાં સુધી કંઈ જ બોલતા નહોતા. એટલે લોકોને થતું કે આ છોકરો મૂંગો છે. પછી અભ્યાસ પૂરો કરીને તેઓ એક્ટિંગમાં આવ્યા અને આ શ્રી કૃષ્ણાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો ત્યારે જ તેમનું મન આ બધાંથી હટી ગયું અને તેમણે રામાનંદ સાગરને હાથ જોડીને કહ્યું કે, મને માફ કરી દો. આ મારો લાસ્ટ પ્રોજેક્ટ છે.