પાકિસ્તાનની જેલમાં માર્યા ગયા સરબજીત સિંહની બહેન દલબીર કૌરનું નિધન. ભાઈને ભારત પરત લઈ આવવા માટે જમીન-આકાશ કરી દીધા હતા એક.
દલબીર કૌરે તેના ભાઈને જેલમાંથી છોડાવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા
દલબીર કૌર વર્ષ 2016માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા હતા
તેમના પ્રયાસની ગુંજ ભારતથી લઈને પાકિસ્તાન સુધી પંહોચી હતી
જાસૂસી કરવાના આરપોમાં પાકિસ્તાનની જેલમાં માર્યા ગયા એક ભારતીય નાગરિક સરબજીત સિંહની બહેન દલબીર કૌરને હાર્ટઅટેક આવવાને કારણે એમનું મૃત્યુ થયું છે. 60 વર્ષની દલબીર કૌરનું નિધન કાર્ડિયક અરેસ્ટ (Cardiac Arrest)ને કારણે થયું છે. એમનો અંતિમ સંસ્કાર આઆજે પંજાબના ભીખીવીંડમાં કરવામાં આવશે. દલબીર કૌરના ભાઈ સરબજીત સિંહને વર્ષ 1991માં પાકિસ્તાનની એક કોર્ટે જાસૂસી કરવાના આરોપમાં ફાંસીની સજા સંભળાવી હતી અને 9 વર્ષ પહેલા એમનું મૃત્યુ થઈ ગયું હતું.
દલબીર કૌરે તેના ભાઈને જેલમાંથી છોડાવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા અને તેમના પ્રયાસની ગુંજ ભારતથી લઈને પાકિસ્તાન સુધી પંહોચી હતી. આટલા સખત પ્રયાસો પછી પણ વર્ષ 2013માં લાહોર જેલમાં કેદીઓના જ હમલા કરવા પર સરબજીતની હત્યા કરી દેવામાં આવી હતી. સરબજીતે કોર્ટમાં તેની પેશી પર કહ્યું હતું કે પોતે એક ખેડૂત છે અને એ બોર્ડર પાસે જ રહે છે. એમના મત મુજબ તેઓ ભૂલથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને એ પછી ત્યાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને પછી ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
Punjab | Dalbir Kaur, sister of Indian national Sarabjit Singh who was sentenced to death for spying by a Pakistan court in 1991 and died in 2013, passed away late last night. Her last rites will be conducted today at Bhikhiwind in Punjab. pic.twitter.com/Ma6ADe9zwd
દલબીર કૌરે રાજનીતિમાં પણ તેનો હાથ અજમાવી ચૂકી છે. વર્ષ 2016માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા હતા. દલબીર કૌરે અને તેમના ભાઈ સરબજીત સિંહની કહાની પર બૉલીવુડમાં એક ફિલ્મ પણ બની છે. એ ફિલ્મમાં સરબજીત સિંહનો અભિનય રણદીપ હુડ્ડા દ્વારા નિભાવવામાં આવ્યો હતો. એમના આઆ અભિનયના લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. એ સમયે એવી ખબર બહાર આવી હતી કે આ રોલ નિભાવવા માટે રણદીપ હુડ્ડાએ 28 દિવસોમાં 18 કિલો વજન ઉતાર્યો હતો.
આ ફિલ્મ રિલિજ થયા પછી સરબજીતની બહેન દલબીર કૌરે એવી ઈચ્છા જણાવી હતી કે એમની મૃત્યુ પછી રણદીપ હુડ્ડા તેના ભાઈની જગ્યા લે અને એમને મૃત્યુ બાદ એમને ખભો આપે. આ વાત દલબીર કૌરે તેમના ભાઈની પુણ્યતિથી પર કહી હતી. એમને કહ્યું હતું કે ' મારી ઈચ્છા છે કે મારા મૃત્યુ પછી રણદીપ હુડ્ડા મને ખભો આપે. આવું કરવાથી મારી આત્માને શાંતિ મળશે કે કાર ભાઈએ જ મને ખભો આપ્યો. હું ખુશ છું કે રણદીપ તરીકે મને મારો ભાઈ પાછો મળી ગયો. '