કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે કર્મચારી રાજ્ય વીમા નિગમ(ESIC)ની અટલ વીમાધારક વ્યક્તિને કલ્યાણ યોજના હેઠળ બેરોજગારી લાભના દાવાની અરજી કરનારની અરજીને 15 દિવસની અંદર પહોંચી વળવામાં આવશે.
ESI યોજના હેઠળ દાવો કરવામાં આવ્યો છે કે...
3 મહિના વેતનના 50 ટકા બરાબર લાભ આપવામાં આવશે
એ લોકોને લાભ મળશે જેમણે કોરોનાને લીધે નોકરી ગુમાવી છે
ઉલ્લેખનીય છે કે ESICના ડિરેક્ટર મંડળે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને રોજગાર ગુમાવનારા લોકોને રાહત પુરી પાડતા આ વર્ષે 24 માર્ચથી 31 માર્ચ સુધી બેરોજગારી લાભ હેઠળ વળતરને બેગણુ કરી દીધુ છે. આ યોજના હેછળ 3 મહિનાના ઔસત વેતન 50 ટકા લાભ આપવામાં આવશે.
આ સંદર્ભમાં ગંગવારે કહ્યું કે બેરોજગારીના લાભ માટે . ESI યોજના હેઠળ દાવો કરવામાં આવ્યો છે કે 15 દિવસની અંદર તેને પહોંચી વળવામાં આવશે. આ યોજનાથી ESI સાથે જોડાયેલા એ લોકોને લાભ મળશે જેમણે કોરોનાને લીધે નોકરી ગુમાવી છે. આ યોજના હેઠળ 24 માર્ચ 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીના સમય દરમિયાન 3 મહિના વેતનના 50 ટકા બરાબર લાભ આપવામાં આવશે જે પહેલા 25 ટકા આપવામાં આવતો હતો.
મંત્રીએ કહ્યું કે હવે રોજગાર ગુમાવ્યાના 30 દિવસ પાદ લાભનો દાવો કરી શકાશે. જે પહેલા 90 દિવસ બાદ મેળવવું શક્ય હતું. હવે કર્મચારી પોતે દાવો કરી શકે. પહેલા નિયોક્તાના માધ્યમથી આવેદન કરવુ પડતુ હતુ.
ગંગવાર ESIC બોર્ડના અધ્યક્ષ પણ છે. તેમણે યોજના હેઠળ આવનારા લોકોને આનો લાભ ઉઠાવવાનું કહ્યું છે. આમાં 40 લાખ શ્રમિકોને લાભ મળશે.
ESIC બોર્ડે વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ બેરોજગારીની લાભના વળતરને વધારવા અને યોગ્યતાના માપદંડને ઢીલ આપવા પર પરવાનગી આપી દેવાી છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(સીએમઆઈઈ) અનુસાર કોરોના વાયરસની મહામારી હેઠળ પેદા થયેલા સંકટના કારણે લગભગ 1.9 કરોડ લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. ફક્ત જુલાઈ મહિનામાં 50 લાક લોકો બેરોજગાર થયા છે. જો કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અનુસાર જૂનમાં 4.98 લાખ લોકો ઔપચારીક કાર્યબળથી જોડાયા છે.
જાણો કેવી રીતે મળશે ફાયદો
ESIC પોતાના ડેટાના આધારે બેરોજગાર કામદારોને આ ફાયદો આપશે. તેના માટે કર્મચારી કોઈ ESIC શાખામાં જઈને સીધી અરજી કરી શકે છે અને યોગ્ય વેરિફિકેશન બાદ તેમના બેંક ખાતામાં સીધી રકમ મોકલાશે. તેને માટે આધાર નંબરની મદદ પણ લેવાશે.
ઉલ્લેખનીય છે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના અનુસાર કોરોના સંકટના કારણે લગભગ 1.9 કરોડ લોકો નોકરીઓ ખોવી ચૂક્યા છે. ફક્ત જુલાઈમાં 50 લાખ લોકો બેરોજગાર થયા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના અનુસાર જૂન મહિનામાં 4.98 લાખ લોકો ઔપચારિક કાર્યથી જોડાયેલા છે.