સમજૌતા એક્સપ્રેસ 76 ભારતીય અને 41 પાકિસ્તાની નાગરિકને લઇને દિલ્હી પહોંચી ગઇ છે. ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી સાડા ચાર કલાક મોડી પહોંચી. ટ્રેનને ભારતીય ચાલક દળ (ક્રૂ) અટારી સરહદથી ચલાવીને ભારત લાવ્યાં.
પાકિસ્તાને ગુરૂવારે સમરજૌતા એક્સપ્રેસને ભારત મોકલવાની ના પાડી દીધી અને ટ્રેનને વાઘા સરહદ પર ઉભી રાખી દીધી હતી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ટ્રેનના ક્રૂ માં ઉપસ્થિત બે ડ્રાઇવર અને એક ગાર્ડે ભારતીય સરહદમાં જવાથી ડર લાગતો હતો. પાકિસ્તાને આ પગલું ભારતે આર્ટિકલ-370 હટાવ્યા બાદ લીધુ હતું.
સમજૌતા એક્સપ્રેસ અટારી-વાઘા સરહદથી દિલ્હી પહોંચી
ટ્રેનમાં 76 ભારતીય અને 41 પાકિસ્તાની નાગિરક છે.
પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને છોડી હતી વાઘા સરહદ પર
જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન હલબલી ઉઠ્યું હતું. ગઇકાલે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પહેલા પાકિસ્તાને ભારત સાથેના રાજનૈતિક સંબંધોમાં પણ ઘટાડો કરી દીધો છે.
પાકિસ્તાને પોતાના ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને સમજૌતા એક્સપ્રેસ સાથે મોકલવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. આ મામલા પર અટારી આંતરરાષ્ટ્રીય રેલ્વે સ્ટેશનના સુપરિટેંડેટ અરવિંદ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે સમજૌતા એક્સપ્રેસને ભારત આવવાનું હતું.
પરંતુ આ દરમ્યાન પાકિસ્તાનથી મેસેજ આવ્યો કે ભારતીય રેલ્વે પોતાના ડ્રાઇવર અને ક્રુ મેમ્બરને મોકલીને સમજૌતા એક્સપ્રેસને લઇ જાય. તેમને વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાની રેલ્વેએ સુરક્ષાને કારણોસર આ નિર્ણય લીધો તેમ જણાવ્યું. જો કે ત્યારબાદ ભારતીય રેલ ડ્રાઇવર અને ગાર્ડને જેની પાસે વીઝા છે તેમને સમજૌતા એક્સપ્રેસને લેવા માટે મોકલવામાં આવ્યાં હતા.
આમ ભારતીય ક્રૂ ટીમ દ્વારા સમજૌતા એક્સપ્રેસને ભારતીય સરહદમાં લાવવામાં આવી. જેમાં 76 ભારતીય અને 41 પાકિસ્તાની નાગરિક હતા. આ ટ્રેન હાલમાં દિલ્હી પહોંચી ગઇ છે. આ ટ્રેન સવારે અંદાજે લગભગ દોઢ વાગે અટારીથી રવાના થઇ હતી.
Delhi: Samjhauta Express train, carrying 76 Indian and 41 Pakistani nationals, has reached Delhi. It had departed from the Attari Railway Station at around 1:30 am today pic.twitter.com/YVVhV5BIgB