શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અયોધ્યા પહોંચ્યા છે. એમણે પૂજા-અર્ચના બાદ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સરકારે અધ્યાદેશ લાવવો જોઇએ. ઠાકરે કહ્યું કે, રામ મંદિરના નિર્માણ જલ્દી જ કરવું જોઇએ. સરકારે રામ મંદિર નિર્માણ માટે અધ્યાદેશ લાવવો જોઇએ. આ વચ્ચે અયોધ્યાના સંત સમાજે કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરે દર્શન માટે આવ્યા છે તો ઠીક છે. પરંતુ તેને રાજનૈતિક અખાડા ના બનાવે.
બીજી તરફ મુસ્લિમ સમાજે આ કાનૂનનો 'મજાક ઉડાવવા' સમાન ગણાવ્યો છે. મણિરામદાસ છાવણીના ઉત્તરાધિકારી કમલ નયન દાસે કહ્યું, ''રામજીના દર્શન માટે કોઇપણ ભક્ત આવે, તે સારી વાત છે. આ ક્રમમાં આ લોકો પણ આવ્યા હશે. અમારો સંકલ્પ છે કે રામભૂમિ સાથે પરિવેશ બનાવીશું.'
જ્યારે સંત સમિતિના અધ્યક્ષ મહંત કન્હૈયાદાસ રામાયણીએ કહ્યું કે હવે વધારે વિલંબ ઠીક નથી. જ્યારે રામ મંદિર બનશે, ત્યારે અમારી ધાર્મિક સ્વતંત્રતા મળશે. દર્શન-પૂજા કોઇપણ આવે, તેની મનાઇ નથી. પરંતુ આ વિષયને રાજનીતિથી દૂર રાખવો જોઇએ.
હનુમાન ગઢીના મહંત રાજૂ દાસે કહ્યું કે અયોધ્યા ઉપેક્ષિત રહ્યો છે. યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ અહીં હલચલ વધી છે. ઉદ્ધવ ઠાકરે આવ્યા છે તો સારી વાત છે, તેમનું સ્વાગત છે. એમણે એક ભક્ત બનીને આવ્યા છે તો સારી વાત છે. આ વખતે તેમની પાર્ટીના સાંસદોની સંખ્યા ઠીક-ઠાક છે. આ મુદ્દો તેમના સાંસદ સંસદમાં ઉઠાવે, ત્યારે જાણવા મળશે કે આ પક્ષમાં કેટલા લોકો સંમત છે. રામલલા પરિસરને રાજનીતિના અખાડાથી દૂર રાખે તો સારુ રહેશે.
ઇકબાલ અંસારીએ કહ્યું કે ઠાકરે અહીં બાબરી મસ્જિદ વિરુદ્ધ રામ જન્મભૂમિની રાજનીતિ ન કરે તો યોગ્ય રહેશે. આ મામલાની ઉકેલ માટે પેનલ બનાવવામાં આવી છે. એ પેનલ વાતચીત માટે હિન્દૂ અને મુસલમાન પક્ષકારોને બોલાવી રહ્યા છે.