કોરોના વાયરસની વેક્સીન બનવવામાં ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો જોડાયેલ છે. જેમાં રુસે બાઝી મારી લીધી છે. અહીંના સચેનોવ યુનિવર્સિટીનો દાવો છે કે તેમણે કોરોનાની રસી તૈયાર કરી લીધી છે. વેક્સીનના તમામ પરિક્ષણ થઈ ચૂક્યા છે અને તે સફળ પણ થયા છે. જોકે વૈશ્વિક સ્તરે રસી બનવાની ખરાઈ નથી થઈ, પરંતુ માનવામાં આવે છે કે સચેનોવ વિશ્વવિદ્યાલયનો દાવો સાચો સાબિત થયો તો રસી બનાવનારો આ દુનિયામાં પહેલો દેશ બનશે.
સચેનોવ યુનિવર્સિટીનો દાવો છે કે તેમણે રસી તૈયાર કરી લીધી
વદિમ તરાસોવે પણ વેક્સીનને તૈયાર થવાની ખરાઈ કરી હતી
રસી બનાવનારો આ દુનિયામાં પહેલો દેશ બનશે.
ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સલેશનલ મેડિસિન એન્ડ બાયોટેક્નોલોજીનના ડિરેક્ટર વદિમ તરાસોવના જણાવ્યાનુંસાર સચેનોવ યુનિ.એ 18જૂનના રોજ પરિક્ષણ શરુ કર્યું હતું. તેનું નિર્માણ ગેમલી ઈસ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ક માઈક્રોબાયોલોજીએ કર્યુ હતુ. વદિમ તરાસોવે પણ વેક્સીનને તૈયાર થવાની ખરાઈ કરી હતી.
સચેનોવ યુનિ.માં ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ પેરાસિટોલોજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર- બોર્ન ડિજિજના ડિરેક્ટર એલેક્જેન્ડર લુકાશેવે જણાવ્યું કે સુરક્ષાના પાસા તપાસી લીધા છે પણ એ જાણી શકાયું નથી કે ક્યાં સુધી આ લોકો સુધી પહોંચશે. ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિઓ પર આ રસીનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું તેમને 20 જુલાઈના રોજ બુધવારે રજા આપી દેવામાં આવી છે.
અમેરિકા પણ બહું જલ્દી રસી બનાવશે. કેમકે અમેરિકાની કંપની મોર્ડનોએ પણ જલ્દી જ રસી બનાવવાનો દાવો કર્યો છે. તેમણે જુલાઈમાં રસીના ત્રીજા સ્તર પર ના પરિક્ષણની વાત કરી હતી. ત્રીજા ચરણમાં 30 હજાર લોકોને રસી આપવાની વાત કરાઈ હતી. કંપની નો દાવો છે કે રસીથી કોરોનનો ચેપ નથી લાગતો.