સુશાંત સિંહ કેસમાં આડકતરી રીતે આદિત્ય ઠાકરેનું નામ સામે લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે એવામાં આજ સવારથી જ સોશ્યલ મીડિયા પર આદિત્યના રાજીનામાંની અટકળો ખૂબ તેજ થઇ હતી.
આદિત્ય ઠાકરે પદ પરથી રાજીનામું આપશે તેવી અફવા ઉડી
આદિત્યએ ટ્વિટર પ્રોફાઈલમાંથી મંત્રી હોવાનું હટાવ્યા હોવાનો દાવો
આદિત્યએ સ્પષ્ટતા આપતા ચર્ચા પર પૂર્ણવિરામ
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વિટર પ્રોફાઈલમાંથી મહારાષ્ટ્ર સરકારના મંત્રી એવો શબ્દ હટાવી લેવાની વાત સવારથી સોશ્યલ મીડિયામાં ખૂબ વહેતી થઇ હતી. લોકોએ અટકળો લગાવી કે આદિત્ય ઠાકરે પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે.
નોંધનીય છે કે સુશાંત સિંહ કેસમાં ગર્લફ્રેન્ડ રિયા સાથે આદિત્યનું કનેક્શન છે તેવી વાતો જોર પકડી રહી છે અને વારેઘડિયે તેમના પર આડકતરી રીતે આરોપો લાગી રહ્યા છે ત્યારે આજે તેઓ રાજીનામું આપી દેશે તેવી અટકળો સોશ્યલ મીડિયામાં ખૂબ ફેલાઈ.
આદિત્ય ઠાકરેના ટ્વિટર બાયોમાં યુવાસેના અધ્યક્ષ, અને મુંબઈ ડીસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશન અધ્યક્ષ જ લખવામાં આવ્યું છે અને તેનાં પર દાવો કરવામાં આવ્યો કે આદિત્યએ બાયોમાંથી હવે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હોવાનું હટાવી લીધું છે જે આદિત્યએ જ સ્પષ્ટતા આપવી પડી.
રાજીનામાં મુદ્દે ઉઠેલી અફવા પર આદિત્ય ઠાકરેએ સ્પષ્ટતા આપી કે ટ્વિટર ક્યારેય મંત્રી પદ હોવાની માહિતી આપવામાં આવી જ નથી તો હટાવવાની વાત ક્યાંથી આવે ? તેમણે કહ્યું કે મંત્રી હોવાનું ક્યારે તેમણે ટ્વિટર પ્રોફાઈલ બદલી જ નથી અને આ સ્પષ્ટતા બાદ સમગ્ર અફવા પર પૂર્ણવિરામ મૂક્યો છે.