આ વખતના બજેટમાં ડીઝલ અને પેટ્રોલને લઈને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે.તો આવો જાણીએ કઈ રીતે થશે આ ફાયદો.
આ વખતના બજેટમાં ડીઝલ અને પેટ્રોલને લઈને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, 1 ઓક્ટોબર 2022થી બ્લેડિંગ વગરના ફ્યૂલ પર 2 રૂપિયા પ્રતિ લિટરના હિસાબે આબકારી ટેક્સ લગવામાં આવશે. એટલે કે 1 ઓક્ટોબરથી આપના બ્લેડીંગ વગરનું ફ્યૂલ એટલે કે, બ્રાન્ડેંડ ડીઝલ-પેટ્રોલ માટે 2 રૂપિયા વધારના ચુકવવાના રહેશે. અહીં આપને જણાવી દઈએ કે, એક્સ્ટ્રા પ્રીમિયમ જેમ કે પેટ્રોલ બ્રાંડેડ ફ્યૂલની કેટેગરીમાં આવે છે.
ખેડૂતોને થશે ફાયદો
ઈથેનોલને શેરડીમાંથી બનાવામાં આવે છે. ફર્મેટેંશન અને ડિસ્ટીલેશનની પ્રક્રિયા બાદ એથેનોલ મળે છે. ત્યાર આવા સમયે બ્લેડીંગને જરૂરી કરવાના નિર્મયથી વધારે એથોનોલની જરૂર પડશે અને તેનાથી ખેડૂતોને ફાયદો થશે. તમામ અવસરે સરકાર પણ બ્લેડીંગ પર ભાર ચુકી છે. બજેટમાં થયેલી આ ઘોષણાનું હેતુ કાચા તેલની આવક ઘટાડવાનો છે.
કાર્બન ઉત્સર્જનમાં કાપ કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે પેટ્રોલમાં 20 ટકા એથેનોલ મિશ્રિતના લક્ષ્યને પુરો કરવાની મર્યાદા પાંચ વર્ષ ઘટાડીને 2025 કરી દેવામાં આવી છે. પહેલા આ લક્ષ્ય 2030 સુધી પુરો કરવાનો હતો. શેરડી અને ઘઉં તથા ચોખા જેવા ખરાબ થઈ ગયેલા ખાદ્યાન્ન તથા કૃષિ અવશેષોથી એથોનોલ કાઢી લેવામાં આવે છે. તેનાથી પ્રદૂષણ પણ ઓછું થાય છે અને ખેડૂતોને અલગ અલગ રીતે આવક મેળવવાનો મોકો પણ મળશે.
2030 સુધી 20 ટકા એથોનોલ બ્લેડીંગનો છે લક્ષ્ય
ગત વર્ષે સરકારે વર્ષ 2022 સુધી પેટ્રોલમાં 10 ટકા અને વર્ષ 2030 સુધી 20 ટકા એથોનોલનું મિશ્રણ કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. હાલના સમયમાં પેટ્રોલની સાથે લગભગ 8.5 ટકા એથોનોલ ભેળવાય છે. જ્યારે વર્ષ 2014માં આ મિશ્રણનું સ્તર 1-1.5 ટકા જ હતું. જ્યારે 20 ટકા મિશ્રણ થવા લાગશે તો એથોનોલ ખરીદની માત્રા વધી જશે.
ભારત દુનિયાનો સૌથી મોટો તેલ આયાત કરતો દેશ છે. જે પોતાના 85 ટકાથી વધારે માગ પુરી કરવા માટે વિદેશો પર નિર્ભર રહે છે. હાલમાં એથેનોલ આપૂર્તિ વર્ષમાં ભારતની યોજના ગૈસોલિનની સાથે 10 ટકા એથોનોલ-મિશ્રણ કરવાની છે. તેના માટે 4 અબજ લીટર ઈથોનોલની જરૂર રહેશે. વર્ષ 2023 સુધી 20 ટકા મિશ્રણનું સ્તર મેળવવા માટે 10 અબજ લીટર ઈથેનોલની જરૂર પડશે.