હેપેટાઈટિસ સીની દવા ખાનારા દર્દીઓ પર કોરોનાની કોઈ અસર દેખાઈ રહી નથી. ઘણા દેશોમાં આ દવાના ટ્રાયલ ચાલી રહ્યા છે અને ભારતમાં પણ આ ના પર રિસર્ચ કરવામાં આવી રહ્યુ છે. રોહતક પીજીઆઈમાં અત્યાર સુધીમાં 2 હજાર એવા દર્દીઓ મળ્યા છે જેને હેપેટાઈટિસ સી એટલે કે બ્લેક કમળાની દવા લઈ રહ્યા છે. આમાંથી કોઈને પણ કોરોનાની અસર જોવા મળી નથી.
2 હજાર દર્દીઓ હેપેટાઈટિસ સીની દવા લઈ રહ્યા છે
દવા ખાનારા દર્દીઓને કોરોનાની અસર દેખાતી નથી
કદાચ હેપેટાઈટિસની દવા કોરોના સામે લડવામાં સક્ષમ હોય
રોહતક પીજીઆઈમાં હેપેટાઈટિસ સીનું સ્ટેટ નોડલ ટ્રીયમેન્ટ સેન્ટર છે. આ સેન્ટરના ઈન્ચાર્જ ડૉ. પ્રવીણ મલ્હોત્રાએ જણાવ્યું કે બ્રિટન, બ્રાઝિલ, ઈરાન અને સાઉદી અરબ વગેરે દેશોમાં હેપેટાઈટિસ સીના અસર હોવાના પ્રમાણ મળ્યા છે. આની દવા ખાનારા દર્દીઓને કોરોનાની અસર દેખાતી નથી.
ગત 4 મહિના દરમિયાન હરિયાણામાં લગભગ 5 હજાર હેપેટાઈટિસ સીના દર્દીઓ દવા લઈ રહ્યા છે. અમે આના પર રિસર્ચ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં 2 હજાર લોકોનો ડેટા મેળવ્યો છે. અમને આનંદ છે કે આમાંથી કોઈને પણ કોરોનાના લક્ષણો નથી. જોકે આ પરોક્ષ પ્રમાણ છે. પણ અમેને આશા છે કે કદાચ હેપેટાઈટિસની દવા કોરોના સામે લડવામાં સક્ષમ હોય.
ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓની સારવાર માટે રોહતક પીજીઆઈમાં હેપેટાઈટિસની દવાના ટ્રાયલની મંજુરી મળી છે. આ માટે 86 લાખ રુપિયા મંજુર કરી દેવામાં આવ્યા છે. હેલ્થ યુનિવર્સીટીના વીસી ડૉ ઓપી કાલરાએ જાણકારી આવી છે કે હકિકતમાં વિશ્વના 5 દેશોમાં બ્લેક જ્યોન્ડિસની દાવા કોરોનાની સારવાર માટે ટ્રાયલમાં લેવાઈ રહી છે. જેના સારા પરિણામ મળ્યા છે. આ બાદ અહીં પણ આ દવા માટે પરવાનગી માંગવામાં આવી હતી.