સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની 52મી બેઠક ચાલી રહી છે જેમાં એક સફાઈ કામદારની દીકરી રોહિણીને એમાં બોલવાનો મોકો મળ્યો. કહ્યું, એક દલિત તરીકે અહીં પહોંચવું તેમના માટે ગર્વની વાત છે.
દેશની એક દલિત દીકરી સંયુક્ત રાષ્ટ્રના મંચ પર કહ્યું, 'મેરા ભારત મહાન'
'આદિવાસી રાષ્ટ્રપતિ અને એક ઓબીસી વડાપ્રધાન છે'
રોહિણીએ UNHRCના મંચ પરથી ભારતની પ્રશંસા કરી
ભારત સરકાર તરફથી એક કરોડ રૂપિયાની સ્કોલરશિપ મળી
'ભારતમાં દલિતોની સ્થિતિ પાકિસ્તાન જેવા પાડોશી દેશો કરતાં ઘણી સારી છે.' જણાવી દઈએ કે દેશની એક દલિત દીકરી સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પૂરા આત્મવિશ્વાસ સાથે આ વાત કહી હતી. જેનું નામ રોહિણી ઘાવરી છે. ઇન્દોરથી આવેલી રોહિણી સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં પીએચડી કરી રહી છે.
'આદિવાસી રાષ્ટ્રપતિ અને એક ઓબીસી વડાપ્રધાન છે'
નોંધનીય છે છે કે ત્યાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની 52મી બેઠક ચાલી રહી છે જેમાં એક સફાઈ કામદારની દીકરી રોહિણીને એમાં બોલવાનો મોકો મળ્યો. એક દલિત તરીકે અહીં પહોંચવું તેમના માટે ગર્વની વાત છે. રોહિણીએ UNHRCના મંચ પરથી ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે 'આપણા દેશમાં આદિવાસી રાષ્ટ્રપતિ અને એક ઓબીસી વડાપ્રધાન છે. ભારતનું બંધારણ એટલું મજબૂત છે કે પછાત જાતિમાંથી આવનાર વ્યક્તિ પણ રાષ્ટ્રપતિ કે પીએમ બનવાનું સપનું જોઈ શકો અને હાર્વર્ડ અથવા ઓક્સફર્ડ જઈ શકો છો.' આ સાથે જ રોહિણીએ તેના ભાષણમાં તેણે એ પણ જણાવ્યું કે તેને ભારત સરકાર તરફથી એક કરોડ રૂપિયાની સ્કોલરશિપ મળી છે.
Geneva, Switzerland | As a Dalit girl, I am really proud that I got a chance to be here. The condition of Dalit in India is much better than in neighbouring countries like Pakistan. We have a reservation policy for Dalit. Even, I received a scholarship of Rs 1 Crore from GoI:… pic.twitter.com/UHgxx639bV
UNHRCમાં રોહિણી ઘાવરીએ શું કહ્યું
UNHRCના મંચ પરથી રોહિણીએ ભારતમાં દલિતોને આપવામાં આવેલા અધિકારો પર વાત કરતાં દુનિયાને કહ્યું કે 'મીડિયામાં બતાવવામાં આવે છે તેવું નથી. કેટલાક દેશો અને એનજીઓ પણ યુએનમાં ભારતની ખોટી છબી બતાવે છે. જો તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરો છો, તો સારી અને ખરાબ બંને વસ્તુઓ થાય છે. અમેરિકામાં હાલ પણ બ્લેક એન્ડ વ્હાઇટનો મુદ્દો છે. ભારતમાં જાતિ ભેદભાવના કિસ્સાઓ છે પણ સારી બાબતો પણ છે. હું એક દલિત છોકરી તરીકે અંહિયા ઊભી છું આ ઉદાહરણ છે. '
આગળ તેને કહ્યું હતું કે 'એક દલિત છોકરી હોવાના કારણે મને ગર્વ છે કે મને અહીં આવીને મારા મનની વાત કહેવાનો મોકો મળ્યો. ભારતમાં દલિતોની સ્થિતિ પાકિસ્તાન જેવા પાડોશી દેશોની સરખામણીમાં ઘણી સારી છે કારણ કે આપણા ભારતમાં આરક્ષણ નીતિ છે. મારી માટે અહીં સુધી પંહોચી એ એક મોટી ઉપલબ્ધિ છે.
Major change in India is that right now, we have a tribal President & an OBC PM. Our country’s Constitution is so strong that a person belonging to marginalised section can dream of becoming President or PM, he or she can go to Harvard & Oxford: Rohini Ghavari, PhD student and… pic.twitter.com/LHDLgOjHaM
કોણ છે રોહિણી ઘાવરી
રોહિણી ઘાવરી ટ્વિટર પર આંબેડકરવાદી તરીકે પોતાનો પરિચય આપે છે. તે જીનીવાથી પીએચડી કરી રહી છે. મૂળ ઈન્દોરની, રોહિણી એક સફાઈ કામદારની દીકરી છે. તેણે ANIને જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું તેનું સપનું હતું અંતે તેને એ મોકો મળી ગયો છે. સાથેજ તેને જણાવ્યું હતું કે ભારતમાં દલિતોને આરક્ષણ મળે છે અને તેણે પોતે ભારત સરકાર તરફથી એક કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવી છે.