લાલૂની તબિયતની માહિતી મળતા ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી પહોંચ્યા રિમ્સ
ઝારખંડના રાંચીના રિમ્સના પેઈંગ વોર્ડમાં સારવાર લઇ રહેલા ચારા કૌભાંડના દોષિત લાલૂ પ્રસાદની તબિયત ગુરૂવાર મોડી સાંજે અચાનક બગડી ગઇ છે. તેઓ શ્વાસ નથી લઇ શકતા. તેમની છાતીમાં ઇન્ફેક્શન અને નિમોનિયાની ફરિયાદ છે.
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, લાલૂ યાદવને શ્વાસ લેવામાં અચાનક તકલીફ આવવા લાગી છે. તાત્કાલિક તેમની માહિતી ડૉક્ટરોને આપવામાં આવી છે. માહિતી મળતા જ ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા, રિમ્સ અધીક્ષક ડૉ.વિવેક કશ્યપ અને લાલૂ પ્રસાદ યાદવની સારવાર કરી રહેલા ડૉક્ટર ઉમેશ પ્રસાદ તેને જોવા માટે પેઈંગ વોર્ડ પહોંચ્યા.
જણાવવામાં આવી રહ્યું છે કે લાલૂ પ્રસાદમાં નિમોનિયાના લક્ષણ મળી આવ્યા છે અને તેમની છાતીમાં સંક્રમણ છે. જોકે તેમનો કોરોના રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તો RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ મોકલી દેવાયા છે.