રિષભ પંતની તબિયતને લઈને ચાહકો પણ ચિંતિત છે અને બીજી બાજુ આ સાથે તેઓ એ પણ જાણવા માંગે છે કે રિષભ પંત સામે ઓવર સ્પીડિંગનો કેસ થશે કે નહીં?
રિષભ પંતના અકસ્માતને લઈને ચાહકોના મનમાં અનેક સવાલો છે
ખુદ ડીજીપી અશોક કુમારે વાતચીત દરમિયાન ઘણી અપડેટ આપી છે
શું આ ઓવર સ્પીડિંગનો મામલો છે કે નહીં? જાણો
ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ મર્સિડીઝ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના શુક્રવારે (30 ડિસેમ્બર) વહેલી સવારે રૂરકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં બની હતી. સવારે 5:15 વાગ્યે તેમની મર્સિડીઝ બેન્ઝ કાર નરસન બોર્ડર પર રોડની રેલિંગ સાથે અથડાઈ હતી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટક્કર એટલી મોટી હતી કે કાર હવામાં ઉછળીને થોડે દૂર જઈને પડી હતી અને આ અકસ્માત પછી તરત જ કારમાં આગ લાગી હતી, જોતાં જોતાં જ મર્સિડીઝ બેન્ઝ થોડી વારમાં સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં રિષભ પંતને લઈને ચાહકોના મનમાં અનેક સવાલો છે.
એક બાજુ રિષભ પંતની તબિયતને લઈને ચાહકો પણ ચિંતિત છે અને બીજી બાજુ આ સાથે તેઓ એ પણ જાણવા માંગે છે કે રિષભ પંત સામે ઓવર સ્પીડિંગનો કેસ થશે કે નહીં? શું રિષભ પંતને સારવાર માટે દિલ્હી એરલિફ્ટ કરવામાં આવશે ? અકસ્માત સ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમે શું અપડેટ આપ્યું?
લગભગ દરેક લોકોના મનમાં આ સવાલો હશે અને આ બધા વચ્ચે ખુદ ડીજીપી અશોક કુમારે વાતચીત દરમિયાન ઘણી અપડેટ આપી હતી. વાતચીત દરમિયાન એમને જણાવ્યું હતું કે 'પંતની હાલત સ્થિર છે, ડૉક્ટર એમનું ધ્યાન રાખી રહ્યા છે અને કોઇ ચિંતાની વાત નથી.'
આ સાથે જ એરલિફ્ટ અંગે પણ ડીજીપીએ જણાવ્યું હતું કે, ' અત્યારે તેને કોઈ ગંભીર ઈજા નથી. તેમને કોઈ એર લિફ્ટની જરૂર નથી. ગંભીર કિસ્સાઓમાં એરલિફ્ટ કરી શકાય છે., આ સાથે જ ફોરેન્સિક રિપોર્ટ વિશે એમને કહ્યું હતું કે, 'અત્યારે આ વિશે વધુ કહી શકીશ નહીં. ટીમ ત્યાં જઈને નિરીક્ષણ કરશે પણ અત્યારે જે રીતે તેમનો જીવ બચ્યો છે, તે ચમત્કારથી ઓછું નથી.'
આ સાથે જ જ્યારે એમને પૂછવામાં આવ્યું હતું કે શું આ ઓવર સ્પીડિંગનો મામલો છે કે નહીં? આ વાત પર એમને જણાવ્યું હતું કે, 'મારા અધિકારીઓએ મને આવું કંઈ કહ્યું નથી. હાલ સુધી એટલું જાણવા મળ્યું છે કે એમને ઝપકી આવી જવાથી અકસ્માત થયો હતો.'