ગુરૂવારે ફિલ્મ જગતના મહાન કલાકાર ઋષિ કપૂરનું નિધન થઈ ગયું. ઋષિ કપૂરના જવાથી બોલિવૂડ જગત શોકમાં ડૂબી ગયું છે, ત્યારે કપૂર ખાનદાન પણ આઘાતમાં છે. ગુરૂવારે 25 લોકોની હાજરીમાં ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લોકડાઉનને કારણે ઋષિના અંતિમ સંસ્કારમાં તેની દીકરી રિદ્ધિમા કપૂર સામેલ થઈ શકી નહોતી.
ઋષિ કપૂરના નિધનથી કપૂર ખાનદાન આઘાતમાં
25 લોકોની હાજરીમાં થયા હતા ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર
ત્યારે ઋષિની દીકરી રિદ્ધિમા પિતાની અંતિમ વિદાયમાં સામેલ ન થઈ શકી
તમને જણાવી દઈકે કે, ઋષિની દીકરી રિદ્ધિમાને દિલ્હી પોલીસે મુંબઈ જવાની પરમિશન આપી દીધી હતી, પરંતુ દિલ્હીથી મુંબઈ પહોંચવામાં સમય લાગતા તે પિતાના અંતિમ દર્શન ન કરી શકી. પણ હવે તે જલ્દી મુંબઈ પહોંચવાની છે. તેની જાણકારી રિદ્ધિમાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે.
રિદ્ધિમાએ એક પોસ્ટમાં લખ્યું- driving home ma. enroute mumbai. તમને જણાવી દઈએ કે, રિદ્ધિમાએ મુંબઈ જતી વખતે રસ્તામાં પિતાને યાદ કરતા પોસ્ટ શેર કરી રહી હતી. તેણે લખ્યું - હું તમને ખૂબ જ યાદ કરી રહી છું. પાછા આવી જાઓ પાપા.
રિદ્ધિમાની આ પોસ્ટ જોઈને તેનું દુઃખ સાફ જોવા મળી રહ્યું છે. રિદ્ધિમા ખૂબ જ અપસેટ છે. તે તેના પિતાની ઘણી જ નજીક હતી. રિદ્ધિમા મુંબઈમાં ન હોવાથી તેને ફેસ ટાઈમ દ્વારા પિતાના અંતિમ દર્શન કરાવ્યા હતા. ઋષિના અંતિમ સંસ્કારની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં ક્યારેક આલિયા તો ક્યાારેક રિમા જૈન ફેસ ટાઈમ દ્વારા રિદ્ધિમાને પિતાના અંતિમ દર્શન કરાવી રહ્યાં છે.