કોરોના વાયરસથી દુનિયાભરમાં હાલ સુધીમાં 2 લાખ 79 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 40 લાખથી વધારે લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ તેની દવા કે વેક્સીન હજુ સુધી શોધી નથી. આ સમયે હોંગકોંગથી એક સારા સમાચાર આવી રહ્યા છે. અહીં કોરોનાના કેટલાક દર્દીઓને 3 દવાઓનું મિશ્રણ આપવામાં આવ્યું હતું જેના સકારાત્મક પરિણામો જોવા મળ્યા હતા.
હોંગકોંગથી આવ્યા સારા સમાચાર
3 દવાઓનું પરીક્ષણ કોરોના દર્દી પર થયું સફળ
આ દવાઓથી કોરોનાના દર્દીઓ ઝડપથી થાય છે સાજા
જાણો શું છે આ દવાઓનું મિશ્રણ
આ રિસર્ચ હોંગકોંગની યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો હતો. અહીં ડોક્ટર ક્વૉક-યંગ-યુવેનની ટીમે 3 દવાઓનું મિશ્રણ તૈયાર કર્યું અને સાથે તેને 127 દર્દીઓ પર પરીક્ષણ કર્યું, દે 3 દવાઓને એક સાથે મિક્સ કરવામાં આવી તેમા HIV થેરાપીની દવા લૉપિનિવિર, હેપેટાઈટિની દવા રિબાવિરીન અને સાથે સક્લેરોરિસની દવાનો ઉપયોગ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે સક્લેરોરિસમાં સામાન્ય રીતે કોઈપણ દર્દીની ઈમ્યુન પોતાના જ ટિશ્યૂ પર હુમલો કરે છે.
સામે આવ્યા સકારાત્મક પરિણામો
પરીક્ષણના રીઝલ્ટમાં જાણવા મળ્યું છે કે આ 3 દવાઓનું મિશ્રણ જે દર્દીઓને આપવામાં આવ્યું તે અન્ય દર્દીઓની સરખામણીએ 5 દિવસ વહેલા સાજા થયા છે. જે દર્દીઓએ આ દવા લીધી ન હતી તેઓને સાજા થવામાં 12-14 દિવસનો સમય લાગ્યો હતો. રિસર્ચર્સનું કહેવું છે કે ટ્રાયલથી સાબિત થાય છે કે જેમને સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા તેમની પર રિસર્ચ સારી રીતે કામ કરી રહ્યું છે. તેનાથી કોઈ પણ કોરોનાના દર્દીની સારવાર કરી રહેવા મેડિકલ સ્ટાફને સંક્રમિત થવાનો ખતરો ઘટે છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે આ દવાઓના મિશ્રણથી કોરોના વધવાની ક્ષમતા પણ ઘટે છે.
હજુ વધારે કરવામાં આવશે રિસર્ચ
હોંગકોંગ યુનિવર્સિટીમાં આ સંશોધન 10 ફેબ્રુઆરીથી 20 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું હતું. હાલમાં, ડોકટરો કહે છે કે હવે આ દવાનું મોટી સંખ્યામાં દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવશે. ઉપરાંત, આ દવા એવા દર્દીઓ પર અજમાવવામાં આવશે જેમની સ્થિતિ વધુ ગંભીર છે. તમને જણાવી દઇએ કે હાલમાં, કોરોના માટેની એકમાત્ર દવા રેમડેસિવીરને મંજૂરી આપવામાં આવી છે. તેને અમેરિકન કંપની ગિલિડ સાયન્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે શ્વાસની તકલીફવાળા દર્દીઓમાં આ દવાએ વધુ સારું કામ કર્યું છે. ઉપરાંત, જો દર્દીને ચેપની શરૂઆતમાં જ દવા આપવામાં આવે છે, તો તે વધુ સારા પરિણામ આપે છે.