રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળનો મામલો, જુનિયર તબીબોને 63 હજાર પગાર આપવા સરકારનો નિર્ણય, મેડિકલ ઓફિસર જેટલો જ પગાર અપાશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જાહેરાત
જુનિયર તબીબોને 63 હજાર પગાર આપવા સરકારનો નિર્ણય
ડોક્ટર્સે એક સપ્તાહ માટે હડતાલ સ્થગિત રાખી છે
અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરી હોવા છતા તબીબોના પ્રશ્નોનું નિરાકણ લાવવામાં આવતું ન આવતા રેસિડેન્ટ તબીબોએ ફરી હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. ફરી શરૂ થયેલા હડતાળનો આજે ચોથો દિવસ હતો. ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતાં કહ્યું છે કે , જુનિયર તબીબોને 63 હજાર પગાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શરતોને આધિન પગાર વધારાયો
રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળનો મામલે સરકારે આખરે નિર્ણય લીધો છે. જુનિયર તબીબો માટે પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે. હવે રેસિડેન્ટ તબીબોને 63 હજાર પગાર મળશે. મેડિકલ ઓફિસર જેટલો જ પગાર જુનિયર તબીબોને અપાવાના નિર્ણય બાદ હડતાળનો અંત આવી શકે છે. ઉપરોક્ત પગાર વધારો શરતોને આધિન આપવામાં આવશે. જુનિયર તબીબો 'વી આર હ્યુમન્સ, નોટ રોબોટ્સ' ના લખાણવાળા પોસ્ટર સાથે વિરોધ નોંધાવી રહ્યા હતા કારણ કે કામની ભારણ ખૂબ જ વધુ હતું ત્યારે સરકારે એ પણ જાહેરાત કરી છે કે અત્યાર સુધી 3 હાજર નર્સની ભરતી કરવામાં આવી છે. કામનું ભારણ ઓછું કરવા આયોજન કરવામાં આવ્યું છે. નીટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 50%ની મર્યાદામાં ફરજ પર લઈ શકાશે, પીજી એડમીશન પૂર્ણ થાય ત્યાં સુધી 50%ની મર્યાદામાં ફરજ પર લઈ શકાશે તેવી જાહેરાત પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી.
હડતાલ એક સપ્તાહ માટે મોકૂફ રાખી છે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન
243 ડોક્ટર્સની નિમણૂંમક કરી છે
જ્યા સુધી એડમિશન પૂર્ણ ન થાય ત્યા સુધી 50% મર્યાદામાં લેવાશે
તમામ બાબત સુપ્રીમકોર્ટમાં છે
ડોક્ટર્સે એક સપ્તાહ માટે હડતાલ સ્થગિત રાખી છે
સરકારે વચગાળાની વ્યવસ્થા કરી છે
રેસિડેન્સ ડોક્ટર્સનો પ્રશ્ન હતો તેનો હલ કર્યો છે
ડોકટરો કેન્દ્રીય આરોગ્ય મંત્રીના સંકલનમાં છે
સરકારનો કોઈ પણ નિર્ણય લેખિતમાં હોય છે
આવતી કાલ સુધીમાં પરિપત્ર કરી દઈશું
543 જેટલા રેસિડેન્ટ ડોકટરને નિમણુંક અપાશે
ડોકટરો સાથે અધિક મુખ્ય સચિવે વાત કરી છે
અત્યાર સુધીમાં 3 હજાર નર્સની ભરતી કરવામાં આવી
રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલને લઈને મામલો ગુંચવાયો છે... બીજે મેડિકલના જૂનિયર ડોક્ટર્સે હડતાળ સમેટી લેવાની વાત કરી છે તો NHL મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરોની હડતાલ યથાવત રાખવાની વાત કરી રહ્યા છે .... NHL મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરો કહી રહ્યા છે કે સરકાર સ્પષ્ટ કરે પછી જ અમે હડતાલને સમેટશું
રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળનો આજે ચોથો દિવસ હતો
અમદાવાદ,રાજકોટ સુરત સહીતનાં તબીબી વિધાર્થીઓ ની હડતાલને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.સરકારી મેડિકલ હોસ્પિટલમાં વધુ સ્ટાફ ફાળવાશે, સાથે સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને પડી રહેલી હાલાકીને જોતા આરોગ્ય વિભાગે મેડિકલ હોસ્પિટલોમાં 25 -25 મેડિકલ ઓફિસર ફાળવવા પણ નિર્ણય કર્યો છે. દર્દીઓની OPDમાં સારવાર મળી રહે તે માટે આ નિર્ણય મહત્વનો છે. મેડીકલનાં વિદ્યાર્થીઓની PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓને લઈને હડતાળ ચાલી રહી છે.
22 નવેમ્બરે રદ કરાયેલો ઠરાવ ફરી લાગુ કરવાની માગ
તબીબોની માંગ છે કે 12 વર્ષથી રોકાયેલી બઢતી તાત્કાલિક આપવામાં આવે તેમજ રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 ખાલી પોસ્ટ ભરવામાં આવે આ સાથે જ તબીબો એ પણ કહી રહ્યા છે કે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ, પગારની મહત્તમ મર્યાદા સહિતનો ઠરાવ ફરી લાગુ કરાય જેથી તબીબોને કંઈક અંશે ફાયદો થયા. હડતાળમાં જોડાયેલા તબીબોએ ચીમકી ઉચ્ચારી છે કે 22 નવેમ્બરે રદ કરાયેલો ઠરાવ ફરી લાગુ આવે તેમજ તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે સાથે જ થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેંધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. સરકારી તબીબો દ્વારા છેલ્લા કેટલાક સમયથી 7માં પગારપંચ અને અન્ય પડતર માંગોને લઇ વિરોધ કરી રહ્યા છે . એટલું જ નહીં એડહોક તબીબોની સેવા સળંગ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. તબીબોનું કહેવું છે કે 12 વર્ષથી રોકાયેલી બઢતી તાત્કાલિક આપવામાં આવે.