બાયો સાયન્સ એન્જિનિયરોએ જીવાણુરોધી એક નવી ટેક્િનક વિકસાવી છે, જે એન્ટિબાયોટિકના પ્રભાવને ખતમ કરનાર જીવાણુંઓને નબળાં પાડશે. પારંપરિક એન્ટિબાયોટિક કોઇ જીવાણુંઓને મારે છે અથવા તેની ગતિવિધિને ઘટાડે છે. તેમાંથી કેટલાક જીવાણું પર એન્ટિબાયોટિકની કોઇ અસર થતી નથી.
બાયો સાયન્સ એન્જિનિયર
નવી ટેક્િનક વિકસાવી
ખૂબ જ સરળતાથી જીવાણુંઓને હટાવી શકાય
એન્ટિબાયોટિક પ્રતિરોધી
આ જીવાણું ખુદને એન્ટિબાયોટિક પ્રતિરોધી બનાવી દે છે. આ કારણે એન્ટિબાયોટિકનો પ્રયોગ કરવાથી જીવાણુંઓ વધુ એન્ટિબાયોટિક પ્રતિરોધી બની જાય છે.
જીવાણુરોધી પદાર્થોનો પ્રયોગ
નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે નવી ટેક્િનકથી ખૂબ જ સરળતાથી એન્ટિબાયોટિક પ્રતિરોધી જીવાણુંઓને હટાવી શકાય છે. આ માટે તેમણે કેયુ લુવેનમાં પહેલેથી વિકસિત જીવાણુરોધી પદાર્થોનો પ્રયોગ કર્યો.
જીવાણું પર નિયંત્રણ
ફ્લાઇંગ લેયર વગર સુરક્ષા ધરાવતાં જીવાણુંઓને યાંત્રિક બળથી ખતમ કરી શકાય છે અને તે એન્ટિબાયોટિકથી સરળતાથી મરી જાય છે. જીવાણુંઓના સમૂહ પર જ્યારે આ નવા જીવાણુરોધી પદાર્થથી હુમલો થાય છે તો તેની અસર ખતમ થઇ જાય છે કેમ કે જે પ્રતિરોધી જીવાણું સમૂહમાં ખૂબ વધુ માત્રામાં ફ્લાઇંગ ઉત્પન્ન કરે છે તેના પર નિયંત્રણ મેળવવામાં આવે છે.
બિનપ્રતિરોધક જીવાણુંને ફાયદો થાય છે
તેમાં વધુ ઊર્જા લાગે છે, પરંતુ બિનપ્રતિરોધક જીવાણુંને ફાયદો થાય છે. બિનપ્રતિરોધ જીવાણું પ્રતિરોધક જીવાણુંની તુલનામા ઝડપથી વૃદ્ધિ કરે છે. તેથી પ્રતિરોધક જીવાણુંની તુલનામાં તેની સંખ્યા વધી જાય છે. પારંપારિક એન્ટિબાયોટિકથી વિપરીત આ નવો પદાર્થ પ્રતિરોધકની વિરુદ્ધ કામ કરે છે.