આમ તો દરેક દિવસમાં માટે અલગ અલગ માન્યતા છે અને દરેક દિવસનું મહત્વ પણ અલગ અલગ હોય છે. રવિવારથી શનિવાર સુધીમાં કોઈને કોઈ દેવી-દેવતાઓનું મહત્વ રહેલું છે. પરંતુ શનિવારે શનિદેવ અને હનુમાન દાદાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તે અમે આપને જણાવીયે. આ ઉપાયથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો.
શનિવારે હનુમાનજીની કરો પૂજા
સાંજના સમયે કરો આ ખાસ ઉપાય
હનુમાનજી કરશે તમામ મનોકામનાઓ પૂર્ણ
દર શનિવારે અચૂક કરો આ ઉપાયો
શનિવારે જો હનુમાન ચાલીસા કરવામાં આવે તો તેના ભાગ્યમાં રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે.
તેથી શનિવારે સાંજે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
શનિવાર અથવા હનુમાન જયંતી પર પાનનું બીડું તૈયાર કરી અને તેને હનુમાનજીને અર્પણ કરો. આ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પાનનું બીડું ધરાવતી વખતે પ્રાર્થના કરવી કે તમારી દરેક સમસ્યાની જવાબદારી તે ઉઠાવી લે. પાનના બીડામાં માત્ર ગુલકંદ અને વરીયાળી ઉમેરી અને પ્રભુને ધરાવવું. પાનનું દાન કરવાથી વ્યક્તિને દરેક પાપમાંથી મુક્તિ મળે છે. તેથી કોઈ શુભ દિવસ હોય ત્યારે પાનનું દાન પણ કરી શકાય છે.
શાસ્ત્રોમાં શનિવારે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવવો એ પુણ્યનું કામ માનવામાં આવે છે.
જે વ્યક્તિ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવે છે તેને ભાગ્ય હંમેશા સાથ આપે છે.
જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થતી હોય તો શનિવારની સાંજે એક રોટલી કાળા કૂતરાને અથવા કાળી ગાયને ખવડાવવી. આવું કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે.