બોર્ડે પોતાની વેબસાઈટ પર ગાઈડલાઈન્સ જાહેર કરી છે તેના અનુસાર 1 એપ્રિલથી અમરનાથની યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ થશે.
1 એપ્રિલથી શરૂ થશે અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન
કોરોનાની ગાઈડલાઈનનું કરાશે પાલન
જાણો કોણ અને કેવી રીતે કરી શકશે અમરનાથની યાત્રા
યાત્રા 28 જૂનથી શરૂ થશે અને 22 ઓગસ્ટે સમાપ્ત થશે
દ. કાશ્મીરમાં હિમાલય સ્થિત અમરનાથની ગુફા તીર્થસ્થળને માટે વાર્ષિક તીર્થયાત્રા માટે રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. એક અઘિકારીએ શનિવારે આ જાણકારી આપી છે. આ ગુફા મંદિર 3880 મીટરની ઉંચાઈ પર છે. આ માટે 56 દિવસીય યાત્રા પહેલગામ અને બાલટાલ માર્ગથી 28 જૂનથી શરૂ થશે અને 22 ઓગસ્ટે સમાપ્ત થશે. આ મહિનાની શરૂઆતમાં એક બેઠકમાં અધિકારીએ કહ્યું કે કોરોના પોર્ટોકોલ લાગુ છે અને સરકાર દ્વારા જાહેર નિયમનું પાલન કરાશે.
જાણો શું કહ્યું છે શ્રાઈન બોર્ડે
શ્રાઈન બોર્ડના અધિકારીએ કહ્યું કે બંને માર્ગ માટે રજિસ્ટ્રેશન દેશમાં 446 નક્કી બેંક શાખાથી કરી શકાશે. 1 એપ્રિલથી શરૂ થતા રજિસ્ટ્રેશન માટે 316 પંજાબ નેશનલ બેંક, 90 જમ્મૂ કાશ્મીર બેંક અને 40 યસ બેંકની વ્યવસ્થા છે. તેઓએ કહ્યું છે કે રજિસ્ટ્રેશન માટે અરજીપત્ર અને બેંકની શાખાની રાજ્યવાર સૂચિની સાથે બોર્ડની વેબસાઈટ પર તમામ માહિતી છે. સીઈઓએ કહ્યું કે રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકો દ્વારા અધિકૃત ડોક્ટર કે નક્કી ચિકિત્સા સંસ્થાની મદદથી સ્વાસ્થ્ય પ્રમાણપત્ર સ્વીકારાશે. આ પ્રમાણપત્ર અનિવાર્ય રહેશે.
બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાઈ છે ગાઈડલાઈન
અમરનાથ યાત્રા 2021ને માટે 15 માર્ચ બાદ જાહેર સ્વાસ્થ્ય પ્રમાણપત્ર માન્ય ગણાશે. રજિસ્ટ્રેશનને માટે જે નિયમોનું પાલન કરવાનું છે તેને વિશે જાણકારી બોર્ડની વેબસાઈટ પર આપવામાં આવી છે. તેમાં આધાર શિવિર સુધી પહોંચવાની પ્રાસંગિક જાણકારી, રજિસ્ટ્રેશનને માટેની ફી, ટટ્ટૂ, પાલખી અને પોર્ટર્સને માટેની ફી પણ સામેલ છે. કુમારે કહ્યું છે કે 13 વર્ષ કે તેનાથી ઓછી 75 વર્ષની આયુના લોકો 6 અઠવાડિયાથી વધારે ગર્ભવતી સ્ત્રીઓ આ વર્ષની યાત્રા માટે કોરોનાના માપદંડ અનુસાર રજિસ્ટ્રેશન કરી શકશે નહીં. આ માટે અલગ પરમિટ લેવાની રહેશે. તેઓએ એમ પણ કહ્યું છે કે જે તીર્થયાત્રી હેલિકોપ્ટરથી યાત્રા કરી રહ્યા છે તેઓએ રજિસ્ટ્રેશનની જરૂર રહેશે નહીં તેમને તેમની ટિકિટ જ પૂરતી છે. તેઓએ એક અઝિકૃત ચિકિત્સકનું અનિવાર્ય પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે. અહીં શિબિરમાં વ્યવસ્થાની સમીક્ષા અને રહેઠાણ વ્યવસ્થાને 2000થી વધારીને 5000 કરી દેવામાં આવી છે.
કેવી રહેશે વ્યવસ્થા
બોર્ડના અધિકારીએ કહ્યું છે કે સ્વચ્છતા પર ભાર અપાશે. જમ્મૂના ઉપાયુક્ત અંશુલ ગર્ગે કહ્યું કે યાત્રી નિવાસ અને યાત્રીઓના રહેવા માટે આસપાસ ઓળખ કરાયેલા સ્થાનો અને સ્વચ્છ અને ગ્રીનરી બનાવી રાખવાના આદેશ અપાયા છે. અહીં બેઠકમાં લાઈટ, પાણી, પરિવહન, સુરક્ષા, બેરિકેડિંગ, મોબાઈલ ટોયલેટ, ક્લોક રૂમ અને સામુદાયિક રસોઈ ઘરની સુવિધાઓને પણ 2000થી વધારીને 5000 કરવાના આદેશ અપાયા છે.