આણંદના ધર્મજ-8 બુથ પર પુનઃ મતદાન પૂર્ણ થયું છે. 10 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ થયા છે. સાંજે 6 વાગ્યા સુધી 78.07 ટકા મતદાન નોંધાયું છે. 798 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 23 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં 69.46 ટકા મતદાન થયું હતું.
લોકસભાની ચૂંટણીને લઈને આજે આણંદ લોકસભાના ધર્મજ બૂથ-8 પર ફેરમતદાન યોજાયેલ. જેમાં સોજિત્રા વિધાનસભામાં સમાવિષ્ટ ધર્મજ 8 પર મતદાન થયેલ. મહત્વનું છે કે,બોગસ મતદાન થયાની ફરિયાદને લઈને ફરી મતદાન કરવા માટે આદેશ અપાયો હતો.
બૂથ પર વિડીયોગ્રાફીને ધ્યાને લઈને કલેક્ટરે નિર્ણય કર્યો હતો. વિડીયોગ્રાફીમાં એકની એક વ્યક્તિએ વારંવાર મતદાન કર્યુ હોવાનું ખુલ્યુ હતુ.જેને લઈને ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ મુખ્યચૂંટણીપંચને રજૂઆત કરી હતી.
આથી રાજ્ય મુખ્યચૂંટણી અધિકારીએ ફેરમતદાનની મંજૂરી આપી હતી. આમ, 23મીએ થયેલી બૂથ પરની ગેરરિતીને લઈ મતદાન રદ કરવામાં આવ્યું હતુ. આ સાથે જ આજરોજ લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાયું હતું.
આ મતદાન દિલ્હી સહિત 7 રાજ્યોની 59 બેઠકો માટે યોજાયેલ. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની 7, બિહારની 8, હરિયાણાની 10 બેઠક પર તથા ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8 બેઠક પર મતદાન યોજાયું હતુ.