દેશના નાણાંમાં વારે તહેવારે ફેરફાર થતા રહે છે. નોટબંધી બાદ નવી 2 હજારની અને 500ની નોટ બાદ 200 અને 100ની પણ નવી નોટ આવી. જ્યારે થોડા સમય બાદ 50ની નોટ પણ નવી આવી, જ્યારે વધું રિઝર્વ બેંક પચાર રૂપિયાની નવી નોટ મહત્મા ગાંધીની નવી સિરિઝમાં જાહેર કરશે.
ભારતીય રિઝર્વ બેંક રૂપિયા પચાસની નવી ચલણી નોટ જાહેર કરશે. આ નવી નોટ પર ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. રિઝર્વ બેંક પચાર રૂપિયાની નવી નોટ મહત્મા ગાંધીની નવી સિરિઝમાં જાહેર કરાશે.
આ નવી નોટની ડિઝાઈન મહાત્મા ગાંધીની નવી સિરિઝવાળી રૂપિયા 50ની નોટની સમાન જ હશે. RBIએ કહ્યું કે, પહેલા જાહેર કરવામાં આવેલી જૂની પચાસ રૂપિયાની નોટ પણ ચલણમાં રહેશે.
શક્તિકાંત દાસ રિઝર્વ બેંકના 25મા ગવર્નર છે. 1980ની બેચના રિટાયર્ડ IAS અધિકારી દાસ પહેલા ફાઈનાન્સ કમિશનના સભ્ય હતા. ઉર્જિત પટેલના રાજીનામા બાદ ડિસેમ્બર 2018માં તેમને આર.બી.આઈ.ના ગવર્નર બનાવવામાં આવ્યા.