ભારતીય રિઝર્વ બેંક (RBI)ના એક અધિકારીએ કહ્યું છે તે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક (જુલાઈથી સપ્ટેમ્બર)માં દેશનો GDP એક વર્ષ પહેલાની સરખામણીએ 8.6 ટકા ઘટવાનું અનુમાન છે. આ રીતે સતત 2 ત્રિમાસિકમાં જીડીપી ઘટવાની સાથે દેશ પહેલી વાર મંદીમાં ઘેરાયો છે. કોરોના મહામારી અને લોકડાઉનની અસરથી પહેલા ત્રિમાસિકમાં 23.9 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
RBIએ કહ્યું દેશમાં પહેલી વાર આવી મંદી
બીજા ત્રિમાસિકમાં GDP 8.6 ટકા ઘટવાનું અનુમાન
કોરોના મહામારી અને લોકડાઉનની જોવા મળી અસર
બીજા ત્રિમાસિકના કોરોના મહામારી અને લોકડાઉનની અસરના સરકારી આંકડા હજુ સુધી આવ્યા નથી પરંતુ કેન્દ્રીય બેંકના અનુસંધાનકર્તાઓએ તાત્કાલિક પૂર્વાનુમાન વિધિનો પ્રયોગ કરીને અનુમાન કર્યું છે કે સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં ઘટાડો 8.6 ટકા રહ્યો હશે. આ સાથે બુધવારે જાહેર કરાયેલા આરબીઆઈના માસિક બુલેટિનમાં તે પ્રકાશિત કરાયું છે. આરબીઆઈએ પહેલાં જ અનુમાન રાખ્યું કે ચાલુ નાણાંકીય વર્ષમાં કોરોના મહામારી અને લોકડાઉનની અસરમાં 9.5 ટકાનો ઘટાડો આવી શકે છે.
RBIના પંકજ કુમાર દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત ટેકનિકલ રીતે 2020-21ના પહેલાં 6 મહિનામાં પોતાના ઈતિહાસમાં પહેલી વાર આર્થિક મંદીમાં પહોંચ્યું છે. આર્થિક કામકાજનું સૂચક શીર્ષકથી લખાયેલા આર્ટિકલમાં કહેવાયું છે કે સતત બીજા ત્રિમાસિકમાં પણ આર્થિક સંકોચ આવવાનું અનુમાન છે. ગતિવિધીઓ ધીરે ધીરે સામાન્ય થવાની સાથે સંકોચન પણ ઘટી રહ્યું છે અને સ્થિતિ સારી થવાની આશા છે.