કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલન જોતા હવે સરકાર બેકફુટ પર આવી ગઈ છે. દિલ્હી બોર્ડર પર રહેલા ખેડૂતોએ ગૃહમંત્રી અમિત શાહની વાતચીતની માંગને ફગાવતા દિલ્હીને ઘેરવાનું એલાન કર્યું છે. આ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રીઓએ આજે ટ્વીટ કરી કૃષિ કાયદા પર સરકારનો પક્ષ રજૂ કર્યો છે.
રાજધાનીમાં આવનારા 5 પ્રવેશ માર્ગોને બંધ કરી દેશે ખેડૂતો
કૃષિ કાયદા પર ગેરસમજ ન રાખો -જાવડેકર
નવા કૃષિ કાયદામાં મંડી(બજારો) ખતમ નથી થઈ રહ્યા -પ્રસાદ
રાજધાનીમાં આવનારા 5 પ્રવેશ માર્ગોને બંધ કરી દેશે ખેડૂતો
ઉલ્લેખનીય છે કે હજારો સંખ્યામાં ખેડૂતો દિલ્હીની સીમા પર ડટેલા છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે સશરત વાતચીત નહીં સ્વીકારીએ. તેમણે ચેતવણી આપી છે કે તે રાષ્ટ્રીય રાજધાનીમાં આવનારા 5 પ્રવેશ માર્ગોને બંધ કરી દેશે.
नए कृषि कानून APMC मंडियों को समाप्त नहीं करते हैं। मंडियाँ पहले की तरह ही चलती रहेंगी। नए कानून ने किसानों को अपनी फसल कहीं भी बेचने की आज़ादी दी है। जो भी किसानों को सबसे अच्छा दाम देगा वो फसल खरीद पायेगा चाहे वो मंडी में हो या मंडी के बाहर। #FarmBillspic.twitter.com/xRi35CkOTs
નવા કૃષિ કાયદામાં મંડી(બજારો) ખતમ નથી થઈ રહ્યા -પ્રસાદ
ખેડૂતોના આ વલણને જોતા હેવે સરકાર કૃષિ કાયદા પર સ્પષ્ટતા આપવા લાગી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી કહ્યું કે નવા કૃષિ કાયદામાં મંડી(બજારો) ખતમ નથી થઈ રહ્યા. તેમણે ટ્વીટ કરી રહ્યું કે નવા કૃષિ કાયદા એપીએમસી મંડીઓને સમાપ્ત નથી કરી રહ્યા મંડીઓ પહેલાની જેમ ચાલશે. નવા કાયદાથી ખેડૂતો પોતાના પાકને ક્યાંય પણ વેચવાની આઝાદી છે. જે ખેડૂતોને સૌથી સારા ભાવ આપશે તે ખેડૂતો પાસેથી પાક ખરીદી શકશે. એ પછી મંડીમાં હોય કે મંડીની બહાર.
कृषि कानून पर गलतफहमी ना रखें। पंजाब के किसानों ने पिछले साल से ज्यादा धान मंडी में बेचा और ज़्यादा #MSP पर बेचा। MSP भी जीवित है और मंडी भी जीवित है और सरकारी खरीद भी हो रही है।
પ્રસાદના ટ્વીટ બાદ કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરી ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે કૃષિ કાયદા પર ગેરસમજ ન રાખો. પંજાબના ખેડૂતોએ ગત વર્ષથી વધારે ધાન મંડીમાં વેચ્યું અને વધારે એમએસપી પર વેચ્યું. એમએસપી પણ જીવિત છે અને મંડી પણ જીવિત છે અને સરકારી ખરીદી પણ થઈ રહી છે.