RBI ગર્વનરે આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં મોંઘવારીનો દર 8.6 ટકા રહ્યો છે. તેઓએ કહ્યું કે 2020ના પહેલાં છ મહિનામાં મોંઘવારીનો દર ઊંચો રહી શકે છે. પરંતુ આવનારા અન્ય મહિનામાં તેમાં રાહત મળી શકે છે.
RBI ગર્વનરે વ્યક્ત કરી ચિંતા
એપ્રિલ મહિનામાં મોંઘવારી દર 8.6 ટકા રહ્યો છે
કોરોના સંકટમાં દાળના ભાવ પહોંચ્યા 200ને પાર
RBI ગર્વનર શક્તિકાંત દાસે ખાદ્ય મોંઘવારીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રેપોરેટમાં ઘટાડો અને લોનની કિંમતમાં ત્રણ મહિનાની રાહતની જાહેરાત કરતાં તેઓએ કહ્યું કે હાલની સ્થિતિ ચિંતાજનક છે. તેઓએ જણાવ્યું કે હાલમાં દાળની કિંમત 200 રૂપિયાની આસપાસ છે જે ચિંતાજનક છે. બજારને હાલમાં ખોલી દેવાથી કિંમતોમાં રાહત મળે તે શક્ય છે. RBI ગર્વનરે કહ્યું કે એપ્રિલ મહિનામાં મોંઘવારીનો દર 8.6 ટકા રહ્યો હતો. 2020ના પહેલા હાફમાં મોંઘવારી દર ઊંચો રહી શકે છે અને સાથે અન્ય હાફમાં તેમાં રાહત મળી શકે છે.
200 રૂપિયાથી વધારે રહ્યા છે ભાવ
રિટેલ માર્કેટમાં દાળની કિંમત 200 રૂપિયે પ્રતિ કિલો કે તેનાથી પણ વધારે ચાલી રહી છે. કેટલીક જગ્યાઓએ દાળ 265 રૂપિયે કિલો પણ મળી રહી છે. ક્યાંક તો સ્ટોક ઓછો હોવાના કારણે મળી પણ રહી નથી. અડદની દાળનો કિલોનો ભાવ 150થી 300 રૂપિયા સુધીનો છે. જો કે અન્ય કેટલીક જગ્યાએ તે 142 રૂપિયામાં પણ મળે છે.
ઉત્પાદનમાં ઘટાડાના કારણે પણ વધ્યું છે સંકટ
દાળની કિંમતમાં ભલે લૉકડાઉનની અસર જોવા મળી રહી હોય પણ એક કારણ 2019-20માં ઉત્પાદનમાં અછત હોવાનું પણ છે. કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2019-20 માટે 26.30 મિલિયન ટનનું ઉત્પાદન નક્કી કર્યું હતું. કમોસમી વરસાદને કારણે ઉત્પાદનમાં 10 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈન્ડિયા પલ્સેસ એન્ડ ગ્રેન એસોસિયેશનના આધારે ભારતમાં 25 મિલિયન ટન દાળની જરૂર છે, એવામાં આ વર્ષે પોતાની જરૂરિયાતોના આધારે ઈમ્પોર્ટની જરૂર છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે 3 મિલિયન ટન દાળની આયાત કરવાનું નક્કી કર્યું છે.
દાળની મિલો બંધ થવાથી થઈ અસર
લૉકડાઉનના સમયે ફક્ત 30થી 40 ટકા દાળ મિલો ચાલી રહી હતી. હવે ધીરે ધીરે કામ શરૂ થયું છે. લેબર અને ટ્રાન્સપોર્ટેશનની અસુવિધાના કારણે દાળ મિલોમાં કામ પહેલાંની જેમ ચાલી રહ્યું નથી. 15 એપ્રિલના રિપોર્ટના આધારે દાળની કિંમતમાં 15 ટકાનો વધારો થયો છે. જો રિટેલ સ્ટોર્સ અને નજીકની કરિયાણાની દુકાનોની વાત કરીએ તો દાળની કિંમતમાં 20થી 30 ટકા સુધીનો વધારો થયો છે.