મુંબઇ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ પોતાની ફિલ્મો કરતાં રિલેશનશીપને લઇને વધારે ચર્ચામાં છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટે બંનેના સંબંધ પર મહોર લગાવી છે. એમને પહેલી વખત કહ્યું કે હા બંને પ્રેમમાં છે અને આગળ પોતાની જીંદગીમાં શું કરવું છે એ એમને નક્કી કરવા દો.
ઘણા સમયથી માહિતી મળી રહી હતી કે આલિયા અને રણબીર પોતાના સંબંધને લગ્ન સુધી લઇ જવા ઇચ્છે છે પરંતુ બંનેએ ક્યારેય ખુલીને પોતાના સંબંધનો સ્વિકાર કર્યો નથી. સૂત્રોનું માનીએ તો આલિયા રણબીર હાલ ભલે લગ્ન કરવાના મૂડમાં ના હોય પરંતુ એ એમના રિલેશનશીપમાં એક સ્ટેપ આગળ વધી ગયા છે.
જી હાં બંનેના પરિવારોએ એમના સંબંધને લીલી ઝંડી આપી દીધી છે. સૂત્રો અનુસાર રણબીરે તાજેતરમાં જ આલિયાને પોતાના ફેમિલિ ચેટ ગ્રુપમાં સામેલ કરી છે. આ ગ્રુપમાં ઋષિ કપૂર નીતૂ કપૂર રિદ્ધિમા કપૂર સાહની અને રીમા જૈન સામેલ છે.
છેલ્લા કેટલાક મહિનાથી માહિતી મળી રહી છે કે વર્ષ 2020 સુધી રણબીર અને આલિયા લગ્નના બંધનમાં પણ બંધાઇ જશે. તાજેતરમાં જ જ્યારે મહેશ ભટ્ટનું નિવેદન આવ્યું તો આલિયાને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે એને કહ્યું 'ઇમાનદારીથી કહું તો હું માટે વાત કરવા ઇચ્છતી નથી.'
એને આગળ કહ્યું કે 'મને આ માટે વાત કરવામાં શરમ આવે છે. પરંતુ હું મારા પિતાને ખૂબ પ્રેમ કરું છું અને એ જે કહે છે એ મારા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે.' જણાવી દઇએ કે રણવીર અને આલિયા હાલ પોતાની આગળની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહ્યા
છે.