રાજ્યસભા ચૂંટણી મુદ્દે હાર્દિક પટેલનુ નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં 4 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે માર્ચથી અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે એવામાં હાર્દિક પટેલના નિવેદનથી રાજકારણ વધુ ગરમાયું છે.
"ભાજપના વડોદરાના 3 અને સાબરકાંઠાના 1 ધારાસભ્ય સંપર્કમાં"
શું કહે છે હાર્દિક?
અમારા કોઈ ધારાસભ્યો તૂટવાના નથી. BTPના બંને ધારાસભ્યોના મત મળશે. ભાજપના નારાજ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપના વડોદરાના અને સાબરકાંઠાના 1 ધારાસભ્ય સાથે સંપર્કમાં છે. BTP અને જીજ્ઞેશ મેવાણીનો મત પણ કોંગ્રેસના ઉમેદવારને મળશે. માત્ર એક ધારાસભ્યની જરૂર છે એ અંગે વાત ચાલુ છે. ભાજપના વડોદરાના 3 અને સાબરકાંઠાના 1 ધારાસભ્ય સાથે સંપર્કમાં છે.
કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજ્યસભા ઈલેક્શન પહેલા આપ્યા રાજીનામાં
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી