બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Sarveswar Chowk Tragedy: RMC sold this land in Wonkla to Shiv Builder
Malay
Last Updated: 12:38 PM, 25 September 2023
Rajkot News: રાજકોટમાં સર્વેશ્વર ચોક દુર્ઘટનાને લઇ કોંગ્રેસ નેતાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે દુર્ઘટના અંગે રાજકોટ મહાનગરપાલિકાને જવાબદાર ઠેરવી છે. તેઓએ જણાવ્યું કે, પાણીના વહેણને યથાવત રાખી બાંધકામને મંજૂરી અપાઈ હતી. શિવ બિલ્ડર દ્વારા આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે. વર્ષ 1990માં RMC દ્વારા પ્લાન મંજૂર કરવા મુકાયો હતો. મહત્વનું છે કે, રાજકોટના સર્વેશ્વર ચોકમાં રવિવારે મોટી દુર્ઘટના હતી. વોકળાનો સ્લેબ ધરાશાયી થતાં 1 મહિલાનું મોત થયું હતું, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
શિવ ડેવલોપર્સ દ્વારા બનાવાઈ છે બિલ્ડિંગ
કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે જણાવ્યું કે, વર્ષ 1990માં બાંધકામની મંજૂરી આવી હતી, ત્યારબાદ વર્ષ 1991માં RMC સમક્ષ રિવાઇઝ પ્લાન મૂકાયો હતો અને વર્ષ 1992માં RMCએ કમ્પ્લીસન સર્ટિફિકેટ આપ્યું હતું. આ બિલ્ડિંગ શિવ ડેવલોપર્સ નામની પેઢીએ બનાવેલી છે. શિવ ડેવલોપર્સના કિરીટ કુમાર ધનજીભાઈ, જગદીશભાઈ તારાચંદ, હર્ષાબેન દિલસુખભાઈ, ભૂપતરાય રણજીભાઈ, ધનરાજભાઈ જેઠાણી, શીતલ કુમાર ચુનીલાલ, વ્રજલાલ ગોકળદાસ ભાગીદારો છે. RMCએ વોંકળાની જમીન બિલ્ડરને વેંચી હતી.
સર્ટિફિકેટ ખોટું હોય એવું મને લાગે છેઃ મહેશ રાજપૂત
તેઓએ કહ્યું કે, 31 અને 32 વર્ષે દુર્ઘટના સર્જાઈ. વોકળાનો સ્લેબ ધરાશાયી થયો છે. હજુ આ બિલ્ડિંગનો મેજોરિટી પાર્ટ વોકળા ઉપર ઉભેલો છે. અંદરના બીમની સાઈઝ અને લોખંડને જોઈને એવું લાગી રહ્યું છે કે જે તે ટાઉન પ્લાનર અને એન્જિનયરોએ સર્ટિફિકેટ આપી દીધું છે, તે ક્યાંકને ક્યાંક ખોટો હોય એવું મને લાગી રહ્યું છે.
વોકળા પર બાંધકામ કેમ થયું તેની મને ખબર નથીઃ સિટી ઈજનેર હેમેન્દ્ર કોટક
આ મામલે સિટી ઈજનેર હેમેન્દ્ર કોટકે જણાવ્યું કે, ગઈકાલની ઘટનામાં 10થી 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વોકળામાંથી JCB મશીન દ્વારા કાટમાળ દૂર કરાઈ રહ્યો છે. વોકળા પર બાંધકામ કેમ થયું તેની મને ખબર નથી. અમે હતા એ પહેલા કાર્યવાહી થઈ હતી. હવે વોકળા પર થયેલા બાંધકામની તપાસ કરવામાં આવશે.
શું બન્યો હતો બનાવ?
રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલા ફૂડ બજારમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ફૂડ બજારમાં આવેલા વોકળા ઉપરનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. અચાનક સ્લેબ તૂટવાથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી, તો કેટલાક લોકો સ્લેબ તૂટવાથી નીચે ખાબક્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક લોકોની સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી.
સ્થાનિક નેતાઓ પહોંચ્યા હતા ઘટનાસ્થળે
ઘટનાને પગલે સ્થાનિક નેતાઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાસંદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય ઉદય કાનગડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દુર્ઘટનાને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શહેર ભાજપના અગ્રણીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો.
એક મહિલાનું મોત અને 10થી વધુ ઈજાગ્રસ્ત
સમગ્ર દુર્ઘટનામાં એક ભાવનાબેન ઠક્કર નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army