રાજકોટ સિવિલ હોસ્પિટલની ફરી એક વખત લાલિયાવાડી સામે આવી છે. ભુજની 2 માસની બાળકી સવારથી સારવાર માટે હેરાન થઇ રહી છે. બાળકીને પેટમાં ગાંઠ હોવાથી સારવાર માટે રાજકોટ સિવિલ લાવવામાં આવી છે, પરંતુ ડોક્ટરોની મનમાનીથી બાળકીને કોઇ સારવાર નથી અપાઇ રહી, જોઇએ સમગ્ર અહેવાલ.
બાળકીને પેટમાં ગાંઠ હોવાથી સારવાર માટે રાજકોટ સિવિલ લાવવામાં આવી છે. રાજકોટ સિવિલના ડોક્ટરોનું કહેવું છે કે, સિવિલમાં બાળકોના ઓપરેશનનો વિભાગ જ નથી અને બાળકીને અમદાવાદ લઇ જવા કહેવાયું છે.
જો કે પરિવાર બાળકીને અમદાવાદ લઇ જવા પણ તૈયાર, છે પરંતુ રાજકોટ સિવિલના ડોક્ટર કેસને રીફર પણ નથી લખી આપતા. ત્યારે એક બાજુ બાળકી દર્દથી તરફડે છે અને બીજી બાજુ ડોક્ટરોના પેટનું પાણી પણ નથી હલતું. સિવિલ સત્તાધીશોને આ બાળકીનું દર્દ કેમ નથી દેખાતું? ક્યાં ગઇ લોકોના જીવને બચાવાવની ડોક્ટરોની સોગંદ? ત્યારે અહીં આવા અનેક સવાલો ઉભા થાય છે.
Vtvના સળગતા સવાલ:
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ક્યાં સુધી આવી લાલિયાવાડી?
2 માસની બાળકી દર્દથી તરફડે છે અને ડોક્ટરોનું પેટનું પાણી નથી હલતું ?
બાળકોના ઓપરેશનનો વિભાગ ન હોય તો રીફક કેસ કેમ નથી કરતા?
માતા-પિતા અમદાવાદ લઇ જવા તૈયાર છે છતા ડોક્ટરો કેસ રીફર કેમ નથી લખી આપતા?
બાળકીનો પરિવાર ડોક્ટરની લાલિયાવાડીનો ભોગ ક્યાં સુધી બનતો રહેશે?