રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના ખેડૂતોમાં કપાસના ઉત્પાદન જેટલું વળતર પણ ન મળતાં રોષે ભરાયાં છે. ભાયાવદર ગામના ખેડૂતોએ કપાસના અપૂરતા ભાવ મળતાં અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે. ખેડૂતોએ કપાસના સેમ્પલ કવરમાં પેક કરીને CM રૂપાણી, PM મોદી અને કૃષિમંત્રી આર સી ફળદુને મોકલ્યા હતા. ખેડૂતોએ આ મામલે સરકાર ખેડૂત હિતમાં નિર્ણય લે તેવી માંગણી કરી છે.
રોજકોટ જિલ્લાના ભાયાવદર ગામમાં ખેડૂતોનો અનોખો વિરોધ
PM મોદી, CM રૂપાણી અને , કૃષિમંત્રી આર. સી ફળદુને મોકલ્યો કપાસ
કપાસના પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોએ ઠાલવ્યો રોષ
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સૌરાષ્ટ્રના ભાયવદર ગામના ખેડૂતોએ કપાસના યોગ્ય ભાવ ન મળતાં અનોખો રોષ ઠાલવ્યો છે. કપાસના પૂરતા ભાવ નહિં મળતાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્ષિત કર્યો છે. જેમાં ખેડૂતોએ PM, CM સહિત કૃષિમંત્રીને કવરમાં કપાસ પેક કરીને પોસ્ટ કર્યો છે.
ચાલુ વર્ષે રાજ્યના જગતના તાતને જાણે ચોતરફથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો તેવું લાગી રહ્યું છે. જેમાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવો, પાક બગડી જવો વગેરે બાબતો બાદ હવે પાકના પુરા ભાવ સાથે વળતર નહીં મળતાં ખેડૂતો હેરાન થઇ રહ્યાં છે, ત્યારે ભાયાવદર ગામના ખેડૂતોએ સરકાર સામે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે.
ભાયવદર પંથકમાં કપાસનું વાવેતર કરતાં ખેડૂતોનું કહેવું છે કે વાવેતર કર્યું પરંતુ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે કપાસમાં આવેલ ફળ ખરી ગયું બાદમાં મોંઘા ભાવની જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી કપાસના પાકને ફરી ઉભો કર્યો ત્યારે કપાસના ઉભા પાકમાં ગુલાબી ઇયળો આવી ગઇ જેથી કપાસનો અડધો પાક નિષ્ફળ ગયો.
સરકાર દ્વારા આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરેલો હોવા છતાં હજુ સરકારે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવા પગલાં લીધેલ નથી, સરકાર આ વિસ્તારના ખેડૂતો પ્રત્યે યોગ્ય આપે અહીંના ખેડૂતો માટે જરૂરી છે.