અમદાવાદમાં આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેશે અને ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અપર એર સાયકલોન સિસ્ટમ સક્રિય થતા વરસાદ યથાવત રહેશે. જેને લઇને રૂપાણી સરકાર અલર્ટ બની છે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સક્રીય બની છે ત્યારે આસપાસના રાજ્યોમાંથી પણ NDRFની ટીમ ગુજરાત બોલાવાઇ છે. જેમાં પુણેથી NDRFની ટીમ ગુજરાત પહોંચશે. ભારે વરસાદની સ્થિતીને ધ્યાને રાખી NDRFની વધુ ટીમો ગુજરાત બોલાવાઇ છે. જોકે પાડોશી રાજ્યોએ વધુ મદદ માટે તૈયારી દર્શાવી છે.
— ѕαtчα n prαdhαn, dírєctσr gєnєrαl,ndrf (@satyaprad1) August 1, 2019
મહત્વનું છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરાવાસીઓને વરસાદથી રાહત નહીં મળે. આગામી 24 કલાક વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરી છે. વડોદરા, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતી ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ સારા વરસાદની શક્યતા છે. તો આગામી 10 દિવસ સુધી ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
પોલીસકર્મીઓની રજા રદ્દ
ગુજરાતમાં વરસાદની આગાહીને લઇ રાજ્યના પોલીસકર્મીઓની રજા રદ્દ કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહીને પગલે નિર્ણય કરવામાં આવી છે. રાજ્યની વર્તમાન સ્થિતીને લઇને DGPએ આદેશ કર્યો છે. ખાસ સંજોગો સિવાય રજા નહીં આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આવતીકાલે વડોદરામાં તમામ શાળા-કોલેજો બંધ રહેશે
વડોદરામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વડોદરાના અનેક વિસ્તારોમાં હજુ સુધી પાણી ભરાયેલા છે. ત્યારે આવતીકાલે પણ વડોદરામાં તમામ શાળા-કોલેજો બંધ રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા-કોલેજો બંધ રાખવા આદેશ આપ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે શાળા-કોલેજો બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યના 3 સ્ટેટ હાઇ-વે પર વાહન વ્યવહાર બંધ કરાયો
રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદથી ભારે મુશ્કેલી થઇ છે. રાજ્યના 3 સ્ટેટ હાઇ-વે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વડોદરાના 3 સ્ટેટ હાઇ-વે બંધ કરવામાં આવ્યા છે. જયારે 153 ગ્રામ્ય વિસ્તારના રોડ વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સૌથી વધુ વડોદરાના 47 રોડ બંધ કરવામાં આવ્યા છે. જયારે નવસારીના 28 રોડ. તાપીના 16 અને સુરતના 12 રોડ બંધ કરવામાં આવ્યા છે.
પાણી છોડવાની વાત માત્ર અફવા છે: કલેક્ટર
વડોદરામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વડોદરાના અનેક વિસ્તારોમાં હજુ સુધી પાણી ભરાયેલા છે. ત્યારે વડોદરા કલેક્ટરે વડોદરાવાસીઓને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. વડોદરામાં અફવાઓનો માહોલ ગરમ થતા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. આજવા સરોવરમાંથી પાણી છોડવાની અફવા ઉડી હતી. આથી કલેક્ટરે આ મામલે ખુલાસો આપ્યો હતો. જેમાં તેમણે આજવા સરોવરમાંથી પાણી નથી છોડવાનું તેવી વાત કરી હતી. પાણી છોડવાની વાત માત્ર અફવા છે તેમ કહ્યું હતું.