રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. અમદાવાદ અને સાબરકાંઠા જીલ્લામાં વાતાવરણ પલટાયું છે. મહત્વનું છે કે વાદળછાયું વાતવરણ સર્જાયું હતું બાદમાં પુરજોશ પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે.
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદમાં પુરજોશ પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે મોઘાણીનગર ચાર રસ્તા નજીક વીજપોલ ધરાશાયી થયો છે. પાર્ક કરેલી ઓટો રીક્ષા પર વીજપોલ ધરાશાયી થયા છે. વીજપોલ ધરાશાયી થતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે.
હવામાન વિભાગની આગાહીના પગલે ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. શહેરમાં વરસાદી માહોલ સાથે ધૂળની ડમરી ઉડી હતી. પરંતુ બીજી રીતે જોઇએ તો આ ગરમીથી લોકોને રાહત મળી છે.
અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. શહેરમાં થોડા દિવસ અગાઉ પણ કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. ત્યારે નિકોલ, એસ.જી હાઇવે, બોડકદેવ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા.
સાબરકાંઠા જીલ્લામાં પણ અચાનક વાતવરણ પલટો સર્જાયો છે. મોડી સાંજે ભારે પવન સાથે ધૂળની ડમરી ઊડી હતી. જીલ્લામાં કમોસમી વરસાદી માવઠાની શક્યતા દર્શાવાય રહી છે. ઘઉંના પાકને નુકશાન થવાની શક્યતાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.